કોરોનો વાયરસનો કહેર રાજ્ય સહિત સમગ્ર દેશમાં સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો આંક 500ને પાર કરી ગયો છે. જો કે, આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે.
ગીર સોમનાથમાં લોકડાઉનનો વરવો ચહેરો સામે આવ્યો
મીઠાઈની દુકાનમાં નોકરી કરતા વ્યકિતની 3 વર્ષની બાળકીનું અવસાન
રાજસ્થાનમાં ત્રણ વર્ષની બાળકીનું અવસાન થયું
ત્યારે આવા સમયે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં અને જિલ્લામાં બહારના રાજ્યોમાંથી આવેલા લોકો ફસાયેલા છે. જે પોતાના ઘરે પણ જઈ શકતા નથી, ઘરના માથે કોઈ પણ વિપત આવી હોય, કોઈ અઘટિત ઘટના ઘટી હોય તો પણ લોકડાઉનના કારણે હાજર રહી શકાતુ નથી.
ત્યારે આવી જ એક હ્રદય દ્વાવક ઘટના ગીર સોમનાથના ઉનામાં જોવા મળ્યું. રાજસ્થાનનો એક યુવાન ઉનામાં મીઠાઇની દુકાનમાં કામ કરે છે. જેની ત્રણ વર્ષની દીકરીનું અવસાન થયું હતું પરંતુ લોકડાઉનના કારણે યુવાન પોતાની દિકરીની અંતિમવિધીમાં જઇ શક્યો નથી. જેથી યુવાને મોબાઇલમાં વીડિયો કોલિંગના આધારે અંતિમ દર્શન કર્યા હતા.