રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે. તો કોરોનાથી દર્દીઓના મોત પણ થઇ રહ્યા છે ત્યારે વડોદરાના સ્મશાનમાં રૂંવાડાં ઉભા કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા.
કોરોના કાળમાં વડોદરામાં સ્થિતિ વણસી
મૃતદેહને સ્મશાને પહોંચાડવા વાહનો ખુટી પડ્યા
હાથ લારીમાં મૃતદેહ સ્મશાને પહોંચાડાઇ રહ્યાં છે
ઉલ્લેખનીય છે કે, વડાદોરામાં એક વ્યક્તિનું સામાન્ય સંજોગોમાં મોત થયાં બાદ પરિવારજનોએ તેમની અંતિમ વિધિ કરવા માટે એમ્બ્યુલન્સ માટે ફોન કર્યો હતો. જો કે,એમ્બ્યુલન્સ હાજર નહીં હોવાથી પરિવારજનો મૃતદેહને હાથલારીમાં લઈને સ્માશાન ખાત અંતિમ વિધિ કરવા પહોંચ્યા હતા.
અત્યાર સુધીમાં 4620 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4620 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં આજે નોંધાયા છે 3575 કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3575 કેસ નોંધાયા છે અને 2217 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,05,149 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 22 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.