કોરોના વાયરસને કારણે ભારત સહિત ગુજરાતમાં લોકડાઉનના કારણે લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. જો કે આ બધા વચ્ચે રાજકોટ અને બનાસકાંઠામાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી. જેમાં લોકડાઉનના પગલે બંને જગ્યાઓ પર ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી લાવવા છતાં કોઇ લેવા ન આવતાં મૂકીને ચાલ્યા ગયા હતા.
લોકડાઉન હોવાના કારણે રાજકોટમાં શાકભાજી બગડી
લોકો શાકભાજી ખરીદવા ન આવતા ખેડૂતોને પરેશાની
ડીસામાં શાકભાજી ફેંકવામાં આવતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો
રાજકોટ ખાતે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનો માલ બગડ્યો
કોરોના વાયરસના કારણે રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન હોવાના કારણે રાજકોટમાં શાકભાજીનો બગાડ થઇ રહ્યો છે. લોકડાઉન હોવાના કારણે લોકો શાકભાજી ખરીદવા માટે આવતા નથી.
રાજકોટ ખાતે લોકડાઉનના પગલે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માલ બગડી રહ્યો છે. લોકો શાકભાજી ખરીદવા ન આવતાં ખેડૂતોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આજે કોઇપણ વ્યક્તિ શાકભાજીની ખરીદી કરવા માટે ન આવતાં ખેડૂતો શાકભાજી મુકીને ચાલ્યાં ગયા હતા.
ડીસામાં શાકભાજી આજે પણ બહાર ફેંકાઇ
રાજ્યમાં લોકડાઉનના કારણે અવર-જવર બંધ થઇ જતાં માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાના શાકભાજી લઇને આવે છે પણ બહારના વેપારીઓ દ્વારા ખરીદી કરવાના આવતા માર્કેટયાર્ડમાં શાકભાજીનો ભરાવો થાય છે. જો કે શાકભાજી એક-બે દિવસમાં બગડી જતા હોય શાકભાજીને બહાર ગૌશાળામાં ફેંકવામાં આવી રહી છે. જેને લઇને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે.