ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં પરપ્રાંતિય શ્રમિકોને લઇના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં મોકલવાને લઇને તેમની પાસેથી ભાડું લેવાને લઇ દેશભરનું રાજકારણ ગરમાયું છે. પરપ્રાંતિય શ્રમિકો પાસેથી રેલવે વિભાગ ભાડું વસૂલે છે કે રાજ્ય સરકાર તે અંગે હજુ અસમંજસ જોવા મળી રહ્યો છે. જો કે પરપ્રાંતિય શ્રમિકોના ભાડાને લઇને કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. જો કે ગુજરાતના વલસાડથી પરપ્રાંતિય શ્રમિકોને લઇને ઉપડનારી ટ્રેનમાં પરપ્રાંતિયો પાસેથી ભાડુ વસુલવાને લઇને રાજકારણ ગરમાયું છે.
વલસાડ થી ઉત્તરપ્રદેશ જવા માટે આજે ટ્રેન ઉપડે તેવી શક્યતા
જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર ભાડા ના પૈસા લેવા પરપ્રાંતીયો ઉમટ્યા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વલસાડથી ઉત્તર પ્રદેશ જવા માટે ટ્રન રવાના કરવામાં આવશે. જો કે રજીસ્ટ્રેશન કરેલા પરપ્રાંતિયોને વલસાડ પાલિકાએ એકાએક જાણ કરી ભાડાના પૈસા ચુકવવા માટે રાત્રે બોલાવ્યાં હોવાની વિગત સામે આવી છે.
જો મજબૂરીમાં વતન જતા પરપ્રાંતિયો પાસેથી ટીકિટના પૈસા વસૂલવામાં આવતાં હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો છે.
જો કે તકનો ફાયદો ઉઠાવવાને લઇને હમદર્દી મેળવવા માટે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અડધી રાત્રે પરપ્રાંતિયોને પૈસા આપવાની શરૂઆત કરી. આ અંગેની જાણ થતાં પરપ્રાંતિયોઓ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાડુ લેવા ઉમટયાં હતા.
સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા ટિકિટ દીઠ રૂપિયા 700 ચૂકવવામાં આવ્યાં. આમ કોંગ્રેસના આ દાવથી વલસાડ જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો.