રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાનું એક એવું ગામ છે.જ્યાં અત્યાર સુધી કોરોનાના માત્ર 3 થી 4 કેસો નોંધાયા છે.
શંકર તળાવ ગામનું ઉત્તમ ઉદાહરણ
ગામમાં કોરોનાના માત્ર 3થી 4 કેસ
શિક્ષિત યુવાનોએ ગામમાં ફેલાવી જાગૃતતા
મળતી વિગતો પ્રમાણે, ગામના સરપંચ રાકેશ પટેલ દ્વારા ગામમાં કોવિડના નિયમોનું પાલન કરાવી ગામના લોકો જે કોરોના મુક્ત રાખવા કો વિડ-19ની ગાઇડ લાઈનના પાલન સહિત લોકો ને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.
યુવાનો દ્વારા લાવવામાં આવી રહી છે લોક જાગૃતિ
સરપંચ દ્વારા ગામને દર અઠવાડિયે સેનેટાઈઝ કરવામાં આવે છે. સાથે ગામના તમામ લોકોને આયુર્વેદીક દવાઓ તથા માસ્ક વિતણ કરવામાં આવે છે. ગામમાં આવેલી બે મોટી કંપનીઓમાં આવતા કામદારોને પણ જાગૃત કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા રાખવામાં આવે છે નજર
આ સાથે કંપનીઓમાં કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં લોકોના સ્વાસ્થ પર નજર રાખવામાં આવે છે.
ગામમાં જ અપાય છે સારવાર
જો કોઈ શંકાસ્પદ લક્ષણ ધરાવતી વ્યક્તિ દેખાય કે ગામનો કોઈ પણ વ્યક્તિ સંક્રમિત થાય તો તેને ગામમાં જ સારવાર મળી રહે તે માટે આઇસોલેશન વોર્ડ બનાવમાં આવ્યા છે. જોકે વધુ ચોકસાઈ રસીકરણ માટે રખાઈ રહી છે.
મોટાભાગના લોકોને કોરોનાની રસીના 2 ડોઝ અપાયા
આ ગામમા 45 વર્ષથી વધુના વયના મોટા ભાગના લોકોને કોરોનાની રસીના 2 ડોઝ આપી દેવામાં આવ્યા છે. ગામમાં 45 થી વધુ વયના 70 % લોકોએ વેક્સિન લઈ લીધી છેઅને બાકીના લોકોને પણ રસી અપાવવા માટે પ્રયાસો થઇ રહ્યા છે.
ગુજરાતમાં આજે નોંધાયેલા કોરોનાના કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,955 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 133 લોકોના મોત નિપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 133 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7912 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, જો કે, આજે ગુજરાતમાં 12,995 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,77,391 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 792 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,48,124 પર પહોંચ્યો છે.