રાજ્યમાં કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે વડોદરા શહેરમાંથી મહત્વના સમાચાર આવ્યાં છે. જેમાં કોરોના ગ્રસ્ત ત્રણ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જેમાં ત્રણ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે.
કોરોના વાયરસને લઈને વડોદરામાંથી સારા સમચાર
સારવાર બાદ ત્રણ દર્દીઓના રિપોર્ટ આવ્યા નેગેટિવ રિપોર્ટ
બે વખત ટેસ્ટિંગ કર્યા બાદ ત્રણ દર્દીનો નેગેટિવ રિપોર્ટ આવ્યો
કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં કેસમાં સતત વધી રહ્યો છે. આજે કોરોના વાયરસનો પોઝિટવ આંકડો 50ને પાર કરી ગયો છે. રાજ્યના આરોગ્ય સચિવે પણ જણાવ્યું હતું કે આવનારો સમય ગુજરાત માટે કસોટીનો છે. ત્યારે વડોદરા શહેરમાંથી રાહતના સમાચાર મળી રહ્યાં છે.
રાજ્યના વડોદરા શહેરમાંથી કોરોના વાયરસને લઇને રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં સારવાર બાદ ત્રણ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ત્રણેય દર્દીઓએ સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
આ કોરોના ગ્રસ્ત દર્દીઓનું બે વખત ટેસ્ટિંગ કર્યા બાદ ત્રણેય દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ત્રણેય દર્દીઓના રીપોર્ટ પોઝિટવ આવ્યાં હતા. આમ છતાં ત્રણેય દર્દીઓને 14 દિવસ માટે હોસ્પિટલમાં ક્વોરન્ટાઇન રાખવામાં આવશે.