રાજ્યમાં જ્યાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આજરોજ વડોદરા ખાતે એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. શહેરમાં કોરોનાથી આ પહેલું મોત છે. જો કે તેને લઇને આરોગ્ય તંત્રની બેદરકારી સામે આવી છે. કોરોના સંક્રમિત થયેલા કપડા ખુલ્લામાં ફેંકયા હતા.
વડોદરામાં દર્દીના મોત બાદ મેડિકલ સ્ટાફે જાહેરમાં ફેંક્યા હતા કપડા
બાયો મેડીકલ વેસ્ટના ડિસ્પોઝ માટે સૂચના આપવામાં આવશે
પ્રાપ્ત મળતી વિગત અનુસાર વડોદરામાં કોરોના વાયરસના કારણે દર્દીના મોત બાદ અંતિમ ક્રિયા સમયે હોસ્પિટલના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી. કર્મચારીઓએ કોરોના સંક્રમિત થયેલા કપડાને ખુલ્લામાં ફેંક્યા હતા.
જે મામલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે મેડીકલવેસ્ટના ડિસ્પોઝ માટે સૂચના આપવામાં આવશે. આ સાથે જ કહ્યું કે દર્દીના મોત બાદ પોસ્ટમોર્ટમ કરનવામાં આવતું નથી.
પોસ્ટમોર્ટમથી ચેપ લાગવાની સંભાવનાઓ વધી જાય છે. જેથી પોસ્ટમોર્ટમ નથી કરવામાં આવતું તેમ જયંતિ રવિએ જણાવ્યું હતું.
આ અગાઉ વડોદરામાં કોરોનાના દર્દીના મૃત્યુ બાદ અંતિમ ક્રિયા કરવા આવેલા હોસ્પિટલના કર્મઓની ગંભીર બેદરકારી સામે આવ્યાં છે. જેમાં કર્મચારીએ પહેરેલા સુરક્ષા કીટના કપડા સ્મશાનમાં જ ફેંકયાં હતા. આમ કોરોનાથી સંક્રમિત થયેલા કપડા ખુલ્લામાં ફેંકવામાં આવ્યાં હતા. જો કે કપડાનો યોગ્ય નિકાલ કરવાના બદલે ખુલ્લામાં ફેંકવામાં આવ્યાં હતા. જો કે કપડા ખુલ્લામાં નાંખી દેવામાં આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.