વડોદરામાં સતત પોઝિટિવ કેસમાં વધારો થતાં તંત્ર એલર્ટ બન્યું છે. તકેદારીના ભાગરૂપે જ વડોદરાને 4 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. જેમાં રેડ, ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં આ વિસ્તારો રાખવામાં આવ્યા છે. ગ્રીન ઝોનમાં તકેદારી રાખવાની હોય છે અને યલો ઝોનમાં વધારે તકેદારી રાખવાનું સૂચન કરવામાં આવે છે. જાણી લો તમારો વિસ્તાર કયા ઝોનમાં રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ સુધી વડોદરામાં 50 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 2 લોકોના મોત થયા છે તો 7 લોકો સારવાર બાદ સાજા થયા છે.
વડોદરામાં કોરોના સંકટ બન્યું ચિંતાજનક
મોડીરાતે પાણીગેટ વિસ્તારમાં થયો પથ્થરમારો
તકેદારીના ભાગરૂપે 4 ઝોનમાં વહેંચાયું વડોદરા
વડોદરાને તકેદારી રૂપે 4 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. અહીં કેટલાક વિસ્તારોને રેડ, ઓરેન્જ, યલો અને ગ્રીન ઝોનમાં રખાયા છે. રેડ ઝોન વિસ્તારમાં નાગરવાડા અને તાંદળજા વિસ્તાર, ઓરેન્જ ઝોનમાં મોગલવાડા, યાકુતપુરા, બહારકોલોની, ઓરેન્જ ઝોનમાં દુધવાળો મહોલ્લો, નવાપુરાનો અમુક વિસ્તાર, મેમણકોલોની, તાંદળજા ગામ, કાળી તલાવડી તો યલો ઝોનમાં ફતેપુરા, કિશનવાડી, એકતાનગર, રામદેવનગર, સોમાતળાવ, આદર્શનગર (તરસાલી), અનુપમનગર (ઝવેરનગર) , ધાધરેટિયા, કુંભરવાડા (લાલબાગ), નવાયાર્ડ (ડી-કેબીન) ને રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે યલો ઝોનમાં વધુ તકેદારી રાખવાની હોય છે. તો ગ્રીન ઝોનમાં તકેદારી રાખવાની હોય છે.
મોડીરાતે પાણીગેટ વિસ્તારમાં થયો પથ્થરમારો
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં મોડીરાતે પથ્થરમારાનો મામલો સામે આવ્યો છે. જેમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. પતરાની આડમાં કેટલાક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.
પોલીસનો મોટો કાફલો ધટના સ્થળે પહોચી કરી કાર્યવાહી
ગઈકાલે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના 21 લોકોના કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. આમ એક જ વિસ્તારમાં 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઇને તંત્ર દ્વારા નાગરવાડા વિસ્તારને સંપૂર્ણ લૉક કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ બહાર ન નિકળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
નાગરવાડા વિસ્તારના એન્ટ્રી પોઈન્ટ પર લાગ્યા પતરા
ગઈકાલે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારના એન્ટ્રીના તમામ રસ્તા પર પતરા લગાવવામાં આવ્યા છે. મચ્છી પીઠ, સૈયદપુરા, ટાવરના ચાર રસ્તા બ્લોક કરી દેવાયા છે. તમામ વિસ્તારમાં પોલીસ અને SRPના જવાનો તૈનાત કરાયા છે. કોઈ પણ વ્યક્તિને બહાર અથવા બહારના વ્યક્તિને અંદર જવા પર પ્રતિબંધ લગાવાયો છે.