ગુજરાતમાં કોરોના વાયરસની મહામારો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકાર સામે સૌથી મોટો સવાલ એ છે કે કોરોના વૉરિયર્સમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જાવો મળી રહ્યો છે તેને કઇ રીતે અટકાવવો. રાજ્યમાં કોરોનાના સતત કેસ વધી રહ્યાં છે અને જીવને જોખમમાં મૂકી કોરોના વોરિયર્સ અને ડોક્ટર્સ દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરમાં કોરોનાથી વધુ એખ તબીબનું નિધન થયું છે.
વડોદરામાં કોરોનાથી વધુ એક તબીબનું નિધન
લાઇફ લાઇન હોસ્પિટલમાં MDનું કોરોનાથી મૃત્યું
દર્દીઓની સારવાર દરમિયાન થયા હતા સંક્રમિત
રાજ્યમાં હવે કોરોના વૉરિયર્સમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં થઇ રહેલ સતત વધારો એક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે વડોદરા ખાતે વધુ તબીબનું કોરોનાના કારણે નિધન થયું છે.
શહેરમાં આવેલ લાઇફ લાઇન હોસ્પિટમાં MDનું કોરનાના કારણે મૃત્યું થયું છે. MD ડો. વિશાલ ગુપ્તાનું કોરોનાના કારણે મૃત્યું થયું છે. કોરોનાના દર્દીઓની સારવાર દરમિયાન ડૉકટર સંક્રમિત થયા હતા.