ભારત સહિત ગુજરાતમાં જ્યાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સરકાર દ્વારા તેની સામેની લડાઇમાં પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને અલગ-અલગ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે વડોદરામાં કોરોના વાયરસના પગલે હોમ ક્વૉરન્ટાઇનને લઇને તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરામાં કોરોના વાયરસને પગલે તંત્રનો મોટો નિર્ણય
હોમ કવોરન્ટાઈનમાં રહેલા પરિવારના દિવસો વધારાયા
હોમ ક્વોરન્ટાઈનના 14 દિવસને વધારીને 28 દિવસ કરાયાં
રાજ્યમાં કોરોના વાયરસન વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને વડોદરા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન તંત્ર દ્વારા હોમ ક્વૉરન્ટાઇન કરાયેલા પરિવારની સમય મર્યાદામાં વધારો કરાયો છે.
વડોદરા તંત્ર દ્વારા હોમ ક્વૉરન્ટાઇન કરાયેલા પરિવાર માટે સમય મર્યાદા વધારી દેવામાં આવી છે. જેમાં તંત્રએ હવે 14 દિવસના બદલે હોમ ક્વૉરન્ટાઇન માટે 28 દિવસ કરી દેવામાં આવ્યાં છે. આમ 3900 પરિવારને 28 દિવસ સુધી હોમ ક્વૉરન્ટાઇનમાં રહેવું પડશે. હોમ ક્વૉરન્ટાઇનથી નાસી છૂટતાં નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
આમ રાજ્યમાં કોરોનાના વધતાં કેસ સામે વડોદરા તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હોમ ક્વૉરન્ટાઇનની સમય મર્યાદા 14 દિવસથી વધારીને 28 દિવસની કરવામાં આવી છે.