PM મોદી કોરોના વેક્સીનને લઈને સોમવારે સાંજે 4 વાગે દેશના તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. દેશની વર્તમાન સ્થિતિ અને તેની સાથે વેક્સીનેશન અભિયાનને માટે આ બેઠકમાં ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે.
કોરોના વેક્સિનેશનની તૈયારીઓ
કાલે તમામ રાજ્યોના CM સાથે PM કરશે વાત
વેક્સિનેશનની કામગીરીને લઈને કરશે સમીક્ષા
At 4 PM on Monday 11th January, PM @narendramodi will interact with Chief Ministers of all states via video conferencing. They will discuss the COVID-19 situation and the vaccination rollout.
PM મોદી આવતીકાલે બપોરે 4 વાગે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સીનનેશનને લઈને જાણકારી મેળવશે. હાલમાં ભારતના ઔષધિ નિયામક દ્વારા સ્વદેશમાં વિકસિત વેક્સિનને દેશમાં સીમિત ઈમરજન્સીના ઉપયોગને મંજૂરી મળી છે. આ સાથે પીએમનો આ મુદ્દે દરેક રાજ્યોના સીએમ સાથે પહેલો સંવાદ હશે. અગાઉ તેઓએ કોરોના સંક્રમણ કાલ સમયે પણ અનેક બેઠક થઈ ચૂકી છે.
શુક્રવારે દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સીનને મંજૂરી અપાઈ
ભારતમાં કોરોનાના સંક્રમણને લઈને અભિયાન ગરમાયુ છે. આ સંદર્ભે શુક્રવારે દેશમાં કોવિશિલ્ડ અને કોવેક્સીનને મંજૂરી અપાઈ છે. રવિવારે ભારતના ઔષધિ નયિામકની તરફથી બંને વેક્સિનને મંજૂરી અપાઈ છે. કોરોના મહામારીની વિરુદ્ધમાં ભારતની જંગ નિર્ણાયક રહી છે અને સાથે જ ભારતને પણ બળ મળી શકે છે.
ભારત જલ્દી જ વેક્સીનેશનની પ્રક્રિયાને પણ પૂરી કરશેઃ હર્ષવર્ધન
કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષ વર્ધને કહ્યું કે કોરોનાની વિરુદ્ધમાં વેક્સીનેશન બાદ જલ્દી જ આબાદીને વેક્સિનેશન પહોંચાડાશે. તેઓએ ઈલેક્ટ્રોનિક પ્રમાણપત્ર પણ જાહેર કર્યું છે. તેઓએ કહ્યું કે ભારતે શક્ય તેટલા ઓછા સમયમાં વેક્સિન વિકસિત કરીને સુંદર કામગીરીલકરી છે. ભવિષ્યમાં પ્રાથમિકતાના આધારે દેશવાસીઓને વેક્સિન આપી શકાશે. કેન્દ્રીય મંત્રીએ સરકારી હોસ્પિટલ અને અન્ય કેટલાક કેન્દ્રોની પણ આ માટે મુલાકાત લીધી છે.
કોરોનાની લડાઈમાં કામગીરી કરવા માટે પીએમ મોદીએ પહેલાંથી જ શરૂઆત કરી દીધી હતી. આ સાથે દરેક મુદ્દા પર બારીકીથી કામ કરવાથી સારું પરિણામ મેળવી શકાયું છે. આ જ કારણ છે કે હાલમાં ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના એક દિવસના કેસ 18 હજાર 820 આવ્યા છે. તો દેશમાં કોરોનાથી એક દિવસમાં રિકવર દર્દીની સંખ્યા 19 હજાર 460 પહોંચી છે. ભારતમાં કોરોનાથી એક દિવસમાં 213 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 2 લાખ 20 હજાર 591 થયા છે અને સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 4 લાખ 51 હજાર 346 પહોંચી ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 75 લાખ 395 થઈ છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 51 હજાર 48 થયો છે.