કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું કે કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરવામાં બધી જ સતર્કતાનું પાલન કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ જ કારણ છે કે લોન્ચિંગની કોઈ ફિક્સ તારીખ આપી શકાય નહીં.
વારંવાર રસીની તારીખ લંબાઈ જવા પર કહ્યું : અમે આધિકારિક નિવેદનમાં કોઈ ડેટ આપી નથી
સરકાર વેક્સિનની સેફટી અને પ્રભાવી હોવાને આપી રહી છે પ્રાધાન્ય, મંત્રીએ આપી જાણકારી
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે ભારત સરકાર કોરોના વાયરસની વેક્સિન લઈને કોઈ ખોટી જાહેરાત નથી કરી રહી. નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે સરકારે પહેલા 15મી ઓગસ્ટની તારીખ આપી અને પછી કહ્યું કે 2020ના અંત સુધીમાં આવી જશે. જેના જવાબમાં તેમણે કહ્યું કે વેક્સિનના નિર્માણ ખૂબ સમય લાગે છે. અને વેક્સિન ઉપલબ્ધતાની તારીખને લઈને કોઈ આધિકારિક તારીખ આપવામાં આવી નથી.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. એવામાં કેટલાક અહેવાલો સામે આવ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઠંડીના મોસમમાં કોરોના વાયરસના કેસમાં વધારો આવી શકે છે. આ આશંકાઓ પર હર્ષવર્ધને કહ્યું કે ભારતમાં આવી આશંકાઓને નકારી શકાય નહીં.
હર્ષવર્ધને રવિવારે કહ્યું કે SARS Cov 2નું એક રેસ્પિરેટ્રી વાયરસ છે અને આવા વાયરસ ઠંડીમાં વધી જાય તેવી સંભાવના રહે છે. વધુ એક તથ્ય છે કે શીયાળામાં આવાસીય આવાસોમાં ભીડભાડ રહે છે અને જેના કારણે કોરોના વાયરસના કેસ વધી શકે છે. આ કારણે ભારતીય સંદર્ભમાં પણ તે માનવું ખોટું નથી કે શિયાળામાં કોરોના કેસની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળશે.
તેમણે વધુ એક ચેતવણી આપી કે તમે મારી ચેતવણી સમજો કે પછી સલાહ પરંતુ જો તહેવારોમાં બેદકારી કરી તો કોરોના ફરીથી વિકરાળ થઇ જશે. એટલે જ હું કહીશ કે તહેવારોમાં સામાજિક અંતર, માસ્ક પહેરવું આવશ્યક છે. બહાર જવા કરતા ઘરે રહીને પરિવાર સાથે તહેવાર ઉજવીએ.