ભારતના એક અગ્રણી વૈજ્ઞાનિકે કહ્યું છે કે દેશને 2021 માં કોરોના વાયરસની રસી મળી શકે છે. પરંતુ તામિલનાડુના વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના પ્રોફેસર અને રસી સલામતી અંગેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગ્લોબલ એડવાઇઝરી કમિટીના સભ્ય, ગગનદીપ કાંગે પણ રસીકરણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે 1.3 અબજ લોકોને સુરક્ષિત રીતે રસી આપવી એ દેશ માટે સૌથી મોટો પડકાર હશે.
ભારતના એક અગ્રણી વૈજ્ઞાનિકે કોરોનાની રસીને લઇને આપ્યું નિવેદન
કહ્યું-2021માં રસી તો મળશે પરંતુ સિસ્ટમ ઉભી કરવી પડકારજનક
ભારતમાં ટેસ્ટિંગની રણનીતિ અંગે પણ ચિંતા વ્યક્ત
પ્રોફેસર ગગનદીપ કાંગ જુલાઈ 2020 સુધી ભારત સરકારની એક સમિતિમાં સામેલ થયા હતા, જે દેશમાં રસી તૈયાર કરવાના માર્ગો શોધી રહી હતી. બ્લૂમબર્ગ ડોટ કોમ પર પ્રકાશિત અહેવાલ મુજબ, પ્રોફેસર ગગનદીપ કાંગે કહ્યું છે કે ભારત પાસે બાળકો અને સગર્ભા સ્ત્રીઓ સિવાય અન્ય લોકોના રસીકરણ માટે સ્થાનિક રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી.
2021ના પહેલા તબક્કામાં રસી થશે ઉપલબ્ધ
પ્રોફેસર ગગનદીપ કાંગે કહ્યું કે વર્ષના અંત સુધીમાં આપણી પાસે આ ડેટા હશે કે કઈ રસી કામ કરી રહી છે અને કઈ શ્રેષ્ઠ છે. જો તમને સારા પરિણામો મળે, તો પછી 2021 ના પહેલા ભાગમાં આપણી પાસે થોડી રસી ઉપલબ્ધ હશે અને બીજા ભાગમાં મોટી માત્રામાં રસી મળશે.
તમામ માટે સિસ્ટમ તૈયાર કરવી તે પડકારજનક
માઇક્રોબાયોલોજીની પ્રોફેસરે કહ્યું કે, આપણી પાસે વડીલ લોકો ખાસ કરીને હાઇ રિસ્ક કેટગરીના લોકોને વેક્સીન આપવા માટેનું સ્ટ્રક્ચર નથી. તમામ ઉંમરના લોકોને વેક્સિન આપવા માટે સિસ્ટમ તૈયાર કરવી તે પડકારરૂપ બાબત.
ભારતમાં ટેસ્ટિંગની રણનીતિ અંગે પણ ચિંતા વ્યક્ત
આ સાથે જ પ્રોફેસરે ભારતમાં ટેસ્ટિંગની રણનીતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ જગ્યાએ એન્ટીજન અને RT-PCR ટેસ્ટની અદલાબદલી કરીને લોકોની તપાસ કરવામાં આવી રહી છે.