કોરોના વેક્સિન મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નિરાધાર અને વંચિત લોકોને આધાર કાર્ડના પુરાવા વિના વેક્સિન આપવાનો નિર્ણય લેવાયો છે.
કોરોના વેક્સિન મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય
વૃદ્વાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થામાં રહેતા લોકોને અપાશે વેક્સિન
આવી સંસ્થાઓમાં વસવાટ કરતા વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તે પણ વેક્સિન અપાશે
કોરોના વેક્સિન મુદ્દે સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોર્બિડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓને આધાર કાર્ડ વિના પણ કોરોના વેક્સિન અપાશે. વૃદ્વાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થામાં રહેતા લોકોને વેક્સિન આપવામાં આવશે. એટલું જ નહીં પરંતુ 45 વર્ષથી નીચેની વયના વ્યક્તિઓને પણ કોરોના વેક્સિન આપવામાં આવશે. વંચિત અને નિરાધાર લોકોને વેક્સિન મળી રહે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેક્સિન આપવાનો સૌથી મોટો નિર્ણય કર્યો છે.
કેટલા લોકોને અપાઇ રસી?
અત્યાર સુધમાં કુલ 32,74,493 લોકોને પ્રથમ ડોઝનું અને 6,03,693 લોકોનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 38,78,186 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા.
ગુજરાત કોરોના અપડેટ(22-3-2021)
24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ 1640 કેસ નોંધાયા છે. 27 નવેમ્બર 2020ના રોજ સૌથી વધુ 1607 કેસ નોંધાયા હતા. આ સાથે જ સાજા થનારની વાત કરવામાં આવે તો 1110 દર્દીઓ સાજા થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,76,348 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો 4 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે, આ સાથે જ રાજ્યમાં 4454 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં છે.