દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2 લાખ 82 હજાર 970 કેસ નોંધાયા છે. ત્યારે હવે એક રિસર્ચમાં એવી માહિતી સામે આવી છે જે જાણવી જરૂરી છે....
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો
નવા 2 લાખ 82 હજાર 970 કેસ નોંધાયા
24 કલાકમાં 441 લોકોએ ગુમાવ્યો જીવ
તમે કોરોના વેક્સિન લીધી છે તો તમારા શરીરમાં ઇમ્યૂનિટી ક્યાં સુધી બનેલી રહેશે? આનો જવાબ છે કે, 10માંથી 3 લોકોમાં વેક્સિનથી બનેલી ઇમ્યૂનિટીની અસર 6 મહિના બાદ જ પૂર્ણ થઇ જાય છે. આ માહિતી એક રિસર્ચમાં સામે આવી છે જે ભારતમાં થયું છે. હૈદરાબાદ સ્થિત AIG હોસ્પિટલ અને એશિયન હેલ્થકેરે મળીને વેક્સિનની ઇમ્યૂનિટીની અસરને લઇને એક રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચમાં 1,636 લોકોને સામેલ કર્યા હતા. આ તે લોકો હતા જેમને વેક્સિનના બન્ને ડોઝ આપી દેવાયા હતા.
AIG હોસ્પિટલના ચેરમેન ડૉ. નાગેશ્વર રેડ્ડીએ જણાવ્યું કે, આ રિસર્ચનો ઉદ્દેશ્ય વેક્સિનથી બનેલી ઇમ્યૂનિટીની અસર જાણવાનો હતો. આ સાથે જ એ જાણવાનું હતું કે કઇ વસ્તીને બુસ્ટર ડોઝની જરૂર છે.
તેમણે જણાવ્યું કે, લોકોમાં કોરોના વિરૂદ્ધ એન્ટીબૉડી લેવલ તપાસવામાં આવ્યું. જેના અનુસાર, જે લોકોમાં એન્ટીબૉડીનું સ્તર 15 AU/ml હશે, તેમનામાં ઇમ્યૂનિટી ખતમ થઇ ગઇ. આ સિવાય એ અંદાજ લગાવાયો કે જે લોકોમાં એન્ટીબૉડીનું સ્તર 100 AU/ml હશે, તેમાં ઇમ્યુનિટી હજુ પણ છે.
ડૉ. રેડ્ડીએ જણાવ્યું કે, કોરોના વિરૂદ્ધ એન્ટીબૉડીનું સ્તર ઓછામાં ઓછું 100 AU/ml હોવું જોઈએ. જો કોઈમાં આનાથી ઓછું છે તો તેમના સંક્રમિત થવાનો ખતરો વધુ છે.
રિસર્ચમાં શું સામે આવ્યું?
- રિસર્ચમાં સામેલ 1636 લોકોમાંથી 93 ટકા કોવિશિલ્ડ, 6.2 ટકાને કો-વેક્સિન અને 1 ટકાથી પણ ઓછા સ્પૂતનિક-વીનો ડોઝ લગાવ્યો હતો.
- આ રિસર્ચમાં સામે આવ્યું કે, અંદાજિત 30 ટકા લોકોમાં 6 મહિના બાદ વેક્સિનથી બનેલી ઇમ્યુનિટીનું સ્તર 100 AU/mlથી નીચે હતું.
- ડૉ. રેડ્ડીએ જણાવ્યું કે, હાઇપરટેન્શન અને ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓથી જજૂમી રહેલા 40 વર્ષથી ઉપરના લોકોમાં ઇમ્યુનિટી નબળી થઇ ગઇ. તેમણે જણાવ્યું કે, 6 ટકા એવા પણ હતા જેમાં બિલકુલ પણ ઇમ્યુનિટી નહોતી.
- કુલ મળીને એ સામે આવ્યું કે વૃદ્ધોની તુલનામાં યુવાનોમાં લાંબા સમય સુધી ઇમ્યૂનિટી બની રહી છે. ત્યારે, ગંભીર બિમારીથી જજૂમી રહેલા 40 વર્ષથી ઉપરના લોકોમાં એન્ટિબોડી 6 મહિના બાદ ઓછી થઇ જાય છે.
આ રિસર્ચ શા માટે ઉપયોગી?
- ડૉ. રેડ્ડીએ જણાવ્યું કે, કોમોર્બિડિટી વાળા 40 વર્ષથી ઉપરના લોકોને 6 મહિના બાદ બૂસ્ટર ડોઝ લગાવી શકાય છે. તેમણે એ પણ કહ્યું કે બીજા ડોઝ અને બુસ્ટર ડોઝમાં 9 મહિનાનું અંતર રાખવાથી 70 ટકા વસ્તીને વધુ ફાયદો થઇ રહ્યો છે જેની અંદર 6 મહિના બાદ પણ ઇમ્યુનિટી બની રહી છે.
- જોકે, તેમણે એ પણ કહ્યું કે, ભારતના પ્રમાણમાં 30 ટકા લોકો એવા પણ છે જે ગંભીર બિમારીથી જજૂમી રહ્યા છે અને તેમાં બન્ને ડોઝ બાદ પણ 6 મહિના બાદ એન્ટીબોડી નબળી પડી રહી છે. એટલા માટે પણ બૂસ્ટર ડોઝ આપવા પર વિચાર કરવો જોઈએ.