ICMRએ કહ્યું, કોરોનાની રસીના ડોઝ લીધા બાદ મોતનું સંકટ 95 ટકા ઓછું થઈ જાય છે.
મરનારા 31માંથી 20 લોકો એવા હતા જેમણે રસી નહોંતી લીધી
ભારતમાં 34, 703 નવા કેસ આવ્યા
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4, 64, 357 છે
ICMRએ મંગળવારે કહ્યું કે કોરોનાની રસીના ડોઝ લીધા બાદ મોતનું સંકટ 95 ટકા ઓછું થઈ જાય છે. જ્યારે એક ડોઝથી 82 ટકા મોતનું સંકટ ઘટી જાય છે. તમિલનાડુ પોલીસકર્મીઓ પર લગાવવામાં આવેલી એક સ્ટડીના આધાર પર આ દાવો કરવામાં આવ્યો છે. આ અધ્યયન આ વર્ષે 1 ફેબ્રુઆરીથી 14 મે સુધી તમિલનાડુના પોલીસકર્મીઓ પર કરવામાં આવ્યું હતુ.
મરનારા 31માંથી 20 લોકો એવા હતા જેમણે રસી નહોંતી લીધી
અધ્યયનમાં શામેલ તમિલનાડુના 67673 પોલીસકર્મીઓએ રસીના બે ડોઝ લીધા છે. જ્યારે 32792 લોકોએ ફક્ત એક ડોઝ લીધો અને 17059 એવા હતા જેમણે એક પણ ડોઝ નહોતો લીધો. આમાંથી બાદમાં 31 લોકોના મોત થયા છે. મરનારાઓમાં 4 લોકો એવા હતા જેમણે રસીના બન્ને ડોઝ લીધા હતા જ્યારે 7 લોકો એવા હતા જેમણે એક ડોઝ લીધો હતો અને 20 એવા હતા જેમણે રસીનો એક પણ ડોઝ નહોંતો લીધો.
રસી લીધા બાદ આઈસીયૂમાં દાખલ થવાની જરુર 94 ટકા ઘટી જાય
સ્ટડીમાં એમ પણ સામે આવ્યું છે કે જે લોકોએ રસી લીધી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ 77 ટકા સુધી ઓછી હતી. ત્યારે રસી લેનારાઓ માટે ઓક્સિજનની જરુરિયાત 95 ટકા ઓછી હતી. જ્યારે તેમને આઈસીયૂમાં દાખલ થવાની જરુર 94 ટકા ઘટી જાય છે.
ભારતમાં 34, 703 નવા કેસ આવ્યા
આ દરમિયાન દેશમાં કોવિડના 1 દિવસમાં 34, 703 નવા મામલા સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3, 06, 19, 932 થઈ ગઈ. જ્યારે 553 અને દર્દીના મોત થવા પર મૃતકોની સંખ્યા વધીને 4, 03, 281 થઈ ગઈ છે. ગત 111 દિવસમાં સંક્રમણના સૌથી ઓછા નવા મામલા અને 90 દિવસમાં સૌથી ઓછા મોત થાય છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4, 64, 357 છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે 8 વાગે આવેલા આંકડા મુજબ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4, 64, 357 છે. જે કુલ મામલાના 1.52 ટકા છે. જ્યારે કોવિડમાં સ્વસ્થ થવાનો દર સુધારીને 97.17 ટકા થઈ ગયો છે. મંત્રાલયે જણાવ્યું કે 24 કલાકના સમયમાં એક્ટિવ કેસની સંખ્યામાં 17, 714નો ઘટાડો નોંધાયો છે.