દેશમાં કોરોના સંક્રમણને હરાવવા હાલ રસીકરણ પર ભાર મુકાઈ રહ્યો છે. ત્યારે આ સમયે કોરોનાના બૂસ્ટર ડોઝને લઈને ચર્ચા ગરમ છે. આ દરમિયાન મંગળવારે સરકાર તરફથી બનાવાયેલી કોરોના ટાસ્ટ ફોર્સના પ્રમુખ ડો. વીકે પોલે કહ્યું છે કે જ્યારે બૂસ્ટર ડોઝને લઈને તમામ ઉંડા વૈજ્ઞાનિક પરિક્ષણ પૂરા થઈ જાય. ત્યારે દેશમાં બૂસ્ટર ડોઝ લાગવાની શરુઆત કરી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે વિજ્ઞાન કહી દેશે કે બૂસ્ટર ડોઝ આપી દેવા જોઈએ તો એ દિવસથી આપવાની શરુ કરી દેવામાં આવશે.
સરકારની પ્રાથમિક્તા છે કે હાલમાં વસ્તીને રસીનો બીજો ડોઝ આપવાની
ત્યારે સોમવારે ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)ના નિર્દેશક ડો. બલરામ ભાર્ગવે સોમવારે કહ્યું હતુ કે કોરોના રસીના બૂસ્ટર ડોઝ અથવા ત્રીજો ડોઝ આપવાની જરુરિયાતને સમર્થનમાં અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી આવ્યા. તેમણે કહ્યું હતું કે સરકારની પ્રાથમિક્તા છે કે હાલમાં વયસ્કોની વસ્તીને રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.
કયો યોગ્ય બૂસ્ટર ડોઝ છે
વીકે પોલનું કહેવું છે કે આ સંબંધમાં જ્યારે કોઈ અધ્યયન સામે આવી રહ્યું છે. અમે અત્યારે પણ આ સમજવા માટે સટીક જવાબ શોધી રહ્યા છે કે કયો યોગ્ય બૂસ્ટર ડોઝ છે અને આનું રસીકરણ શરુ કરવા માટે યોગ્ય સમય શું છે. ડો. વીકે પોલે આ વાત ICMRના પ્રમુખ ડો. બલરામ ભાર્ગવની પુસ્તક ગોઈંગ વાયરલના વિમોચન દરમિયાન કહી.
સમગ્ર વસ્તીને બૂસ્ટર ડોઝ નહીં આપવામાં આવે
ડો. પોલે કહ્યું કે બૂસ્ટર ડોઝ આપવા માટે કોઈ ઈમરજન્સીની સ્થિતિ નથી. અમે તમામ ઉપલબ્ધ આંકડાની ઉંડાણપૂર્વક તપાસ કરીશું અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા આના પર વ્યવસ્થિત સમીક્ષા કરવાની જરુર છે. તેમનું કહેવું છે કે એમ પણ સમગ્ર વસ્તીને બૂસ્ટર ડોઝ નહીં આપવામાં આવે. અમારી પાસે હાલ સમય છે. ડો. પોલે કહ્યું કે એક યોગ્ય પરિદ્રશ્યને જોતા કોરોના ખતમ થઈ જશે. જો કે તેમણે કહ્યું કે ભારતમાં સંક્રમણને વધતા અટકાવવા અને મૃત્યુ દરને રોકવા માટે દવાઓની જરુર છે.