સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સીન લગાવવા માટે કટ ઓફ ડેટ જાહેર કરી છે જેમાં સરકારે 1 જાન્યુઆરી 2021ને આધાર માન્યો છે. આજથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન અપાશે.
કોરોના વેક્સીનનો ત્રીજો તબક્કો
45 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે વેક્સીન
40 કરોડ લોકોને વેક્સીન લગાવાનો લક્ષ્ય
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલુ થતાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. બીજી લહેરને હરાવવા માટે વેક્સીનેશનનો ત્રીજો તબક્કો આજથી એટલે કે 1 એપ્રિલ 2021થી શરૂ થઈ રહ્યો છે. તેના આધારે 1 એપ્રિલ 2021થી 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન અપાશે. જે વ્યક્તિનો જન્મ 1 જાન્યુઆરી 1977 પહેલા થયો છે તેઓને આ વેક્સીન લગાવાશે. 45 વર્ષથી ઉપરના લોકોને કો -મોર્બિડિટીના ક્રાઈટેરિયામાં આવનારા લોકોને વેક્સીન લાગી રહી છે. આ સિવાય 60 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિને પણ વેક્સીન લાગી રહી છે.
ત્રીજો તબક્કામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે વેક્સિન
વેક્સીનેશનના ત્રીજા તબક્કામા 40 કરોડ લોકોને વેક્સીન લગાવવાનું લક્ષ્ય રખાયું છે. 54થી 59 વર્ષની ઉંમરવાળા લોકોને વેક્સિન લગાવવા મેડીકલ સર્ટીની જરૂર નહીં રહે. અત્યાર સુધી 6 ટકા વેક્સીનનું નુકસાન થયું છે. 16 જાન્યુઆરીથી વેક્સીનનો પ્રથમ તબક્કો શરૂ કરાયો હતો જ્યારે 1 માર્ચથી બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.
કોરોનાની વેક્સિનનો આજથી ત્રીજો તબક્કો શરૂ
કરવામાં આવ્યો છે. આજથી દેશભરમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. 40 કરોડ લોકોને વેક્સિન લગાવવાનું લક્ષ્ય છે. 54થી 59 વર્ષની ઉંમરવાળા લોકોને વેક્સિન લગાવવા મેડિકલ સર્ટીની જરૂર નથી. અત્યાર સુધી 6 ટકા વેક્સિનનું નુકસાન થઈ ચૂક્યું છે. 16 જાન્યુઆરીથી વેક્સિનેશનનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. અને 1 માર્ચથી બીજો તબક્કો શરૂ કરાયો હતો.