કોરોના વાયરસની અનેક વેક્સીન અપ્રુવ થયા બાદ તેના પુરતા પ્રમાણમાં ડોઝ ઉપલબ્ધ કરાવવી એ સરકાર માટે એમ મોટી ચેલેન્જ છે. ભારતમાં વેક્સીનેશનની યોજના બનાવવામાં આવી રહી છે અને તમામ રાજ્યો પાસેથી ઈનપુટ્સ મંગાવવામાં આવી રહ્યા છે. સરકારી અંદાજ મુજબ જુલાઈ સુધી 20 ટકા વસ્તીને જ રસી મળશે.
જુલાઈ સુધી 20 ટકા વસ્તીને જ રસી મળશે
વેક્સીનના સ્ટોરેજ અને રસીકરણની પ્રક્રિયાને લઈને હોમવર્કની તૈયારી
રાજ્યોને રસીની સ્ટોરેજ અને રસીકરણની વ્યવસ્થા કરવાની રહેશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રવિવારે કહ્યું કે સરકારે જુલાઈ 2021 સુધી 40-50 કરોડ ડોઝ મળવાની આશા સેવાઈ રહી છે. જેનાથી 20થી 25 કરોડ લોકોને રસી આપવામાં આવશે. એટલે કે સરકારી અંદાજ મુજબ જુલાઈ સુધી 20 ટકા વસ્તીને જ રસી મળશે. ભારતની હાલની વસ્તી 130 કરોડ મનાઈ રહી છે. ભારતમાં 3 વેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યા છે. ડૉ . હર્ષવર્ધનને કહ્યું કે સરકાર વેક્સીનના સ્ટોરેજ અને રસીકરણની પ્રક્રિયાને લઈને હોમવર્ક તૈયાર કરવાના છેલ્લા ચરણમાં છે.
હર્ષવર્ધને જણાવ્યું તે વેક્સીન એવા ડેટા વેલિડેટ થઈ જાય તો રસીને અપ્રુવલ મળવામાં કોઈ વાર નહીં થાય. તેમણે કહ્યુંકે નીતિ આયોગના ડૉ. વીકે પોલની આગેવાનીમાં એક હાઈ લેવલ કમિટી પુરો પ્લાન બનાવી રહી છે કે કયા દેશની રસી ક્યારે ઉપલબ્ધ થશે. ફાર્મા કંપનિઓ સાથે રસી વિશે જાણકારી મેળવવી અને ભારતમાં પુરતા ડોઝ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી કમિટીની રહેશે. ઈન્વેન્ટ્રી અને સપ્લાઈ ચેન મેનેજમેન્ટ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રસીના કન્સાઈમેન્ટની રિયલ ટાઈમિંગ ટ્રેકિંગ થશે. બ્લેક માર્કેટિંગ નહીં થવા દઈએ. કેન્દ્ર સરકાર રસી મેળવ્યા બાદ રાજ્યોને ડૉઝ મોકલશે. રાજ્યોને રસીની સ્ટોરેજ અને રસીકરણની વ્યવસ્થા કરવાની રહેશે.
સ્વાસ્થ મંત્રીએ કહ્યું કે, વેક્સીન 2021ની ત્રીજા ક્વાર્ટરમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે રાજ્યો પાસેથી એવા લોકોની યાદી મંગાવવામા આવશે જેમને પહેલા રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે શરુઆતમાં ડોઢ કોવિડ-19ના મેનેજમેન્ટમાં લાગેલા હેલ્થ વર્કર્સને મળશે. જેમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ્સ, સ્ટાફ, આશા વર્કર્સ, સફાઇ કર્મચારી સામેલ હશે. રસી કેન્દ્ર સરકાર મેળવશે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તે રસી ઉત્પાદન કરનારી કંપનીઓ સાથે કોઈ ડીલ ન કરે.