ભારતમાં રસીકરણનો આંકડો આજે 100 કરોડને પાર થવા થઈ રહ્યો છે. આ પ્રસંગ પર દેશમાં સેલિબ્રેશનની તૈયારી થઈ રહી છે.
આજે 100 કરોડ રસીના ડોઝનું લક્ષ્ય મેળવશે ભારત
વિમાન જહાજો, મેટ્રો અને રેલવે સ્ટેશનો પર જાહેરાત થશે
100 કરોડથી વધારેનું રસીકરણ દુનિયામાં ફક્ત ચીનમાં થયું
દેશમાં 18થી 75 વર્ષના લોકોને રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે 31 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે. દેશમાં 18થી 44 વર્ષના 55,29,44,021, 45થી 59 વર્ષના 26,87,65,110 અને 60 વર્ષથી ઉપરના 16,98,24,308 લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે કે 100 કરોડથી વધારેનું રસીકરણ દુનિયામાં ફક્ત ચીનમાં થયું છે.
આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે 100 કરોડ ડોઝ લગાવ્યા બાદ અમે મિશન હેઠળ સુનિશ્ચિત કરીશું કે જેમને પહેલો ડોઝ લાગ્યું છે તેમને બીજો ડોઝ પણ લાગે જેથી કોવિડ 19થી તેમના સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. કેન્દ્ર સરકારે કહ્યું કે જે ગામમાં સો ટકા રસીકરણ થઈ ચૂક્યું છે તેમને 100 કરોડ ડોઝની સિદ્ધિ માનવામાં આવશે. એટલા માટે અભિયાનમાં મહત્વના સ્વાસ્થ્ય કર્મીઓની પ્રશંસામાં પોસ્ટર બેનર લગાવવા જોઈએ.
સેલિબ્રેશન માટે અનેક કાર્યક્રમોની યોજના
ભારતમાં રસીકરણ અંતર્ગત 100 કરોડ ડોઝ આપવાનું સેલિબ્રેશન માટે અનેક કાર્યક્રમોની યોજના બનાવવામાં આવી છે. દેશમાં 100 કરોડ ડોઝ આપવાના અવસર પર મંડાવિયા લાલ કિલાથી કૈલાશ ખેરના ગીત અને ઓડિયો વિઝ્યૂઅલ ફિલ્મ જારી કરશે. માંડવિયાએ ટ્વીટ કર્યું છે કે દેશમાં રસીની સેન્યૂરી બનાવવાની લગભગ નજીક છીએ. આ સ્વર્ણિમ પ્રસંગના સહભાગી બનવા દેશવાસીને મારી અપીલ છે. જેમનું રસીકરણ બાકી છે તે તાત્કાલીક રસી લગાવીને ભારતનું ઐતિહાસિક સ્વર્ણિમ રસીકરણ પ્રવાસમાં પોતાનું યોગદાન આપે.
વિમાન જહાજો, મેટ્રો અને રેલવે સ્ટેશનો પર જાહેરાત થશે
સ્પાઈસજેટ 100 કરોડ ડોઝની સિદ્ધિ મેળવવા પર ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર વિશેષ વર્દી જારી કરશે. આ પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાત્ય સિંધિયા અને સ્પાઈઝેટના મુખ્ય પ્રબંધ નિર્દેશક અજય સિંહ હાજર રહેશે. માંડવિયાએ આની પહેલા કહ્યું હતું કે જ્યારે ભારત રસીકના 100 કરોડ ડોઝ લગાવવાની સિદ્દિ મેળવશે ત્યારે તે વિમાનો, જહાજો, મેટ્રો અને રેલવે સ્ટેશનો પર જાહેરાત કરશે. આ સિદ્ધિનું સેલિબ્રેશન શહરેમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં કરવામાં આવશે. બુધવારે રાતે 10.37 વાગ્યે કોવિન પોર્ટલથી પ્રાપ્ત જાણકારી મુજબ દેશમાં રસીના 99.7 કરોડ ડોઝ લગાવાઈ ચૂક્યા છે.
લાલ કિલ્લા પર લહેરાવવામાં આવશે દેશનો સૌથી મોટો ખાદી તિરંગો
કોરોનાથી બચવા માટે રસીકરણ હેઠખ આપવામાં આવેલા ડોઝની સંખ્યા 100 કરોડ પુરી થવા પર દેશમાં સૌથી મોટો ખાદી તિરંગાને ગુરુવારે લાલ કિલ્લા પર ફરકાવવામાં આવશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ તિરંગાની લંબાઈ 225 ફુટ અને પહોંડાઈ 150 ફુટ છે અને તેનું વજન લગભગ 1400 કિલોગ્રામ છે. તેમનું કહેવું છે કે આ તિરંગો 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર લહેરાવામાં આવ્યો હતો.