કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજરોજ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 23 લોકો વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે, જેમાં 9 લોકો ઠીક થઇ ગયા છે. યોગી આદિત્યનાથે જાહેરતા કરી છે કે રાજ્યના શ્રમિકોના ભથ્થા તરીકે 1000 રૂપિયા આપવામાં આવશે.
યુપીમાં કોરોનાને લઇ CM યોગીના નિર્દેશ
CM યોગીનો મંત્રીઓને જનતા દરબારમાં ન જવા નિર્દેશ
શ્રમિકોને ભરણપોષણ આપવાનો નિર્ણય કરાયો
યોગી આદિત્યનાથે કહ્યું કે 15 લાખ મજદૂર અને 20.37 લાખ નિર્માણ શ્રમિકોને તેમની રોજની જરૂરિયાતને પૂરી કરવામાં મદદ કરવા માટે 1000 રૂપિયાની રકમ આપવામાં આવશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે અમે પ્રદેશમાં આઇસોલેશન વોર્ડ બનાવ્યાં છે. આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, પડકારો સામે લડવાની જરૂરિયાત છે. યોગી આદિત્યનાથે કહ્યું કે શ્રમિકો, ઠેલા લગાવનાર વગેરેને તત્કાલ રાશન ઉપલબ્ધ કરાવાનો નિર્ણય કર્યો છે.
#WATCH I appeal people to not panic over #coronavirus. We've sufficient stock of essential commodities and medicines in the state. So please don't rush to shops to buy things and hoard commodities: Chief Minister Yogi Adityanath pic.twitter.com/UxgRHeZnat
કોરોના વાયરસના મામલાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ જરૂર નિર્દેશ જારી કર્યાં છે. આદિત્યનાથે કેબિનેટ મંત્રીઓને પણ જનતા દરબારમાં ન જવા અને ખુદને આઇસોલેશનમાં રાખવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીએ કહ્યું કે ખુબ જ જરૂરી હોય તો પણ મંત્રીઓ લોકોને ન મળે. હાલ જનતા દરબારથી સંક્રમણ ફેલાવાની શક્યતા વધુ છે.
યોગી આદિત્યનાથે કહ્યું કે રાજ્યમાં બીપીએલ પરિવારને 20 કિલો ઘઉ અને 15 કિલો ચોખા સરકાર દ્વારા મફતમાં આપવામાં આવશે. પીડીએસ કેન્દ્રોમાંથી આ વસ્તુઓ લોકોને આપવામાં આવશે. સીએમ આદિત્યનાથે લોકોને વિશ્વાસ આપતાં કહ્યું કે કોઇપણ વસ્તુની ઘટ્ટ રાજ્યમાં નથી. લોકો ખાવા-પીવાની વસ્તુઓ ખરીદીને જમા નકરે. કોઇપણ વસ્તુની રાજ્યમાં ઉણપ નથી.