કોરોનાને લઈને ભારતમાં અનેક વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે જેથી દવા શોધવામાં મદદ મળે અને જલ્દી વેક્સીન બનાવવામાં સફળતા મળે. પરંતુ શોધમાં જાણવા મળ્યું છે કે શિયાળા અને ચોમાસામાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે માટે સતર્ક રહેવાની જરૂર છે.
કોરોનાને લઈને સામે આવી ચોંકાવનારી વાત
શિયાળા અને ચોમાસામાં વધી શકે છે સંક્રમણ
લોકોએ વધુ સતર્ક રહેવાની જરૂર
ભૂવનેશ્વર આઈઆઈટી અને એઈમ્સના એક સંશોધન અનુસાર તાપમાનમાં ઘટાડો થવાના કારણે વરસાદમાં કોરોના સંક્રમણ પીક પર રહેશે. શિયાળામાં તે ઝડપથી વધી શકે છે. આ શોધમાં આઈઆઈટી ભૂવનેશ્વર સ્કૂલ ઓફ અર્થ, ઓસેન એન્ડ ક્લાઈમેટિસ સાયન્સના વિનોજ વી. ગોપીનાથ એન અને લંદૂ તથા એમ્સ ભૂવનેશ્વરના ડિપાર્ટમેન્ટ ઓફ માઈક્રોબાયોલોજીના વિજયિની વી અને વૈજયંતી માલા એમએ સ્ટડી કર્યો હતો.
ભૂવનેશ્વર આઈઆઈટી અને એઈમ્સની સંયુક્ત શોધ
શોધકર્તાનો દાવો છે કે વરસાદની સીઝનમાં તાપમાન ઓછું રહેશે અને વાયુમંડળની ઠંડક ક્રમશઃ શિયાળાની તરફ ગતિ કરવાના કારમે કોરોના સંક્રમણ વધશે. આ રિપોર્ટ એપ્રિલ અને જૂનમાં 28 રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણ અને સંક્રમણની સંખ્યાના આધારે તૈયાર કરાયો છે. શોધકર્તાનું કહેવુ છે કે તાપમાન વધવાથી કોરોનાની સંખ્યા ઘટી છે. એવું શોધમાં જોવા મળ્યું છે.
તાપમાનની અસરનો પ્રભાવ સ્પષ્ટ કરવા હજુ પણ શોધની જરૂર
શોધના આધારે એક ડિગ્રી તાપમાન વધવાથી પણ સંક્રમણ 0.99 ટકા ઘટી શકે છે. વાયરસની ક્રિયા ધીમી હોય છે. સંક્રમણની બમણી ગતિના કારણે 1.13 ટકા ઘટે છે. શોધકર્તા કહે છે કે વરસાદ અને શીતઋતુના આરંભનો સમયને ધ્યાનમાં રાખીને અધ્યયન કરાયું નથી. તાપમાનનો પ્રભાવ જાણવા માટે હજુ પણ વધારે શોધની જરૂર છે.