24 કલાકમાં 38, 319 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તો 501 લોકોએ જીવ ગુમાવ્યો છે.
24 કલાકમાં 38, 319 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ
501 લોકોએ જીવ ગુમાવ્યો
4.49 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે
24 કલાકમાં 38, 319 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ
દેશમાં કોરોનાના નવા મામલા અને સાજા થનારાની સંખ્યા લગભગ સ્થિર છે. ગત 24 કલાકમાં 38, 319 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 38, 521 સાજા થયા છે અને 501 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાહતની વાત એ છે કે સતત 5માં દિવસે મોતનો આંકડો 600થી ઓછો રહ્યો છે. આ પહેલા 13 જુલાઈએ 625 લોકોએ આ મહામારીથી જીવ ગુમાવ્યો હતો. દેશમાં હાલ 4.49 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દેશમાં કોરોનાની મહામારીનો આંકડો
ગત 24 કલાકમાં કુલ 38,319 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 38, 521 લોકો સાજા થયા છે. તો 501 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 3.11 કરોડ સંક્રમિત થઈ ચૂક્યા છે. તો અત્યાર સુધીમાં 3.03 કરોડ લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4.14 લાખ લોકોના મોત થયા છે. જ્યારે 4.16 એક્ટિવ કેસ છે.
8 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશમાં 8 રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન જેવી સ્થિતિ છે. જેમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા અને પોન્ડીચેરી સામેલ છે. જ્યાં ગત લોકડાઉન જેવા જ પ્રતિબંધો લાગેલા છે.
23 રાજ્યો- કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધોની સાથે છુટ પણ છે. જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ- કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્ર પ્રદેશ અને ગુજરાત સામેલ છે.
મુખ્ય રાજ્યોની આ છે સ્થિતિ
કેરળ
અહીં રવિવારે 13, 956 લોકો સંક્રમિત મળ્યા છે. જ્યારે 13, 613 લોકો સાજા થયા તો 81 લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 31.60 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 30.20 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 15, 350 લાખ લોકોના મોત થયા છે. હાલમાં 1.25 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મહારાષ્ટ્ર
અહીં રવિવારે 9,000 લોકો સંક્રમિત મળ્યા છે. જ્યારે 8,950 લોકો સાજા થયા તો 180 લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 62.14 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 59.80 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 1.27 લાખ લોકોના મોત થયા છે. હાલમાં 1.03 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશ
અહીં રવિવારે 25 લોકો સંક્રમિત મળ્યા છે. જ્યારે 69 લોકો સાજા થયા તો 6 લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 17.07 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 16.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 22,721 લાખ લોકોના મોત થયા છે. હાલમાં 1,260 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દિલ્હી
અહીં રવિવારે 51 લોકો સંક્રમિત મળ્યા છે. જ્યારે 80 લોકો સાજા થયા. અહીં અત્યાર સુધીમાં 14.35 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી14. 09 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 25, 027 લાખ લોકોના મોત થયા છે. હાલમાં 592 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
રાજસ્થાન
અહીં રવિવારે 26 લોકો સંક્રમિત મળ્યા છે. જ્યારે 49 લોકો સાજા થયા તો 1 નું મોત થયું છે. અહીં અત્યાર સુધીમાં 9.53 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 9.43 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 8950 લાખ લોકોના મોત થયા છે. હાલમાં 472 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
ગુજરાત
અહીં રવિવારે 33 લોકો સંક્રમિત મળ્યા છે. જ્યારે 71 લોકો સાજા થયા તો 1 નું મોત થયું છે. અહીં અત્યાર સુધીમાં 8.24 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 8.13 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 10, 076 લાખ લોકોના મોત થયા છે. હાલમાં 493 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
મધ્યપ્રદેશ
અહીં રવિવારે 18 લોકો સંક્રમિત મળ્યા છે. જ્યારે 20 લોકો સાજા થયા. અહીં અત્યાર સુધીમાં 7.91 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી 7.80 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 10, 512 લાખ લોકોના મોત થયા છે. હાલમાં 219 દર્દીઓની સારવાર ચાલી રહી છે.