ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 170 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે આ રોગથી પીડિત દર્દીઓની કુલ સંખ્યા વિશ્વભરમાં 6000થી વધુ પહોંચી ગઈ છે. મૃતકો અને દર્દીઓની વધતી સંખ્યાને જોઈને ભારત સહિત વિશ્વના દેશો ગભરાઈ ગયા છે.
ચીનમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 170 લોકોનાં મોત નીપજ્યાં
રોગથી પીડિત દર્દીઓની કુલ સંખ્યા વિશ્વભરમાં 6000થી વધુ પહોંચી ગઇ
કોરોનાના કારણે ચીનને અબજો ડોલરનું નુકસાન થયું છે
ઘણા દેશોએ તેમના નાગરિકોના ચીન પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોરોનાના કારણે ચીનને અબજો ડોલરનું નુકસાન થયું છે. આ ઉપરાંત દુનિયાભરમાં ચીજવસ્તુઓની નિકાસને પણ અસર પડી છે.
કોરોનાથી ચીનના જ નહીં પણ અન્ય દેશોના વેપાર-ધંધાને અસર થવાની શરુઆત થઇ ગઇ છે. ટોચની ટેકનોલોજી કંપનીઓએ પણ ચીનમાં તેમના સ્ટોર્સ બંધ કરવાનું શરૂ કરી દીધું છે. એપલ, ફેસબુક અને સેમસંગ જેવી કંપનીઓએ કોરોના વાયરસથી બચવા તેમના કર્મચારીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે અને કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે. ફેસબુકે ચીનમાં બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે.
અલીબાબાએ તેના કર્મચારીઓને 2 ફેબ્રુઆરી 2020 સુધી ઘરેથી કામ કરવાની છુટ આપી છે. ટેનસેન્ટે પણ 9 ફેબ્રુઆરી સુધી રજા જાહેર કરી છે. આ સિવાય એપલે તેના કર્મચારીઓ પર ચીન જવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ટિકિટૉકની માલિકીની કંપની બાઇટડાન્સે તેના કર્મચારીઓને 14 દિવસ ઘરે રહેવાની સલાહ આપી છે સાઉથ કોરિયાની જાયન્ટ કંપની એલજી અને સેમસંગે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને તેના તમામ ડિવિઝન કર્મચારીઓને ચીનમાં જવાની મનાઇ કરી છે. ચીનના કર્મચારીઓને પણ હમણાં ઘરે રહેવાની સલાહ આપી છે.