કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 10,974 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 2,003 લોકોનાં કોરોનાના કારણે મૃત્યું થયા છે. જ્યારે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 3,54,065 થઇ છે, જેમાં 1,55,227 કેસ સક્રિય જોવા મળ્યાં છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 1,86,935 લોકો કોરોનાથી સાજા થઇ ગયા છે અને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે કોરોના મહામારીના કારણે અત્યાર સુધીમાં 11,903 લોકોના મૃત્યું થયા છે.
દેશમાં પહેલી વખત 2,000થી વધારે મૃત્યું
દેશભરમાં સંક્રમણના દર્દીઓની સંખ્યા 3,54,00થી વધારે
પહેલી વખત 2,000થી વધારે મૃત્યું
કોરોના વાયરસના સંક્રમણ કેસ દેશમાં સતત વધી રહ્યાં છે. જો કે દેશમાં પહેલી વખત એક દિવસમાં 2,000 થી વધારે કોરોનાના દર્દીઓના મૃત્યું થયા છે.
દેશભરમાં સંક્રમણના દર્દીઓની સંખ્યા 3,54,00થી વધારે
દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 3,54,065 થઇ ગઇ છે, જેમાં 1,55,227 એક્ટિવ કેસ છે. જ્યારે 1,86,935 લોક ઠીક થઇ ગયા છે અથવા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 11,903 લોકોનાં મૃત્યું થયા છે.
વર્લ્ડોમીટરના આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસના દર્દી
દેશમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનાના દર્દીઓનો આંકડો 3,50,000 ને પાર કરી ગયો છે. જ્યારે કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 10,000થી વધારે લોકોનાં મૃત્યું થઇ ગયાં છે, જ્યારે 1,87,000થી વધારે લોકો ઠીક થઇ ગયા છે. વર્લ્ડોમીટરના આંકડા મુજબ દેશમાં કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા 3,54,161 છે.
આ આંકડા સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યાં નથી. પરંતું વર્લ્ડોમીટરના જણાવ્યાં મુજબ કોરોનાથી અત્યાર સુધીમાં 11 હજાર 921 લોકોનાં મૃત્યું થયા છે, જ્યારે 1,87,000 થી વધારે લોક ઠીક થઇ ગયા છે. જ્યારે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1,54,00થી વધારે છે.