24 કલાકના નવા આંકડાની સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3 કરોડ 33 લાખ 47 હજાર 325 થઈ છે. આ સાથે કુલ 4 લાખ 43 હજાર 928 દર્દીના મોત થયા છે. 24 કલાકમાં 431 દર્દીના મોતથી ચિંતા વધી છે.
દેશમાં વધ્યું કોરોના સંક્રમણ
24 કલાકમાં 30570 નવા દર્દી આવ્યા
431 દર્દીના મોતની સાથે આંક ચોંકાવનારો
ભારતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યાર 24 કલાકમાં 30570 નવા કેસ આવ્યા છે અને સાથે 431 લોકોના મોત થયા છે. આ સમયે 38303 દર્દી સાજા થયા છે. નવા આંકડાની સાથે દેશમાં કોરોના સંક્રમિતની સંખ્યા 3 કરોડ 33 લાખ 47 હજાર 325 થઈ છે. અત્યારસુધીમાં 4 લાખ 43 હજાર 928 દર્દીના મોત થયા છે. દેશમાં 3 લાખ 42 હજાર 923 દર્દીની સારવાર ચાલી રહી છે.
India reports 30,570 new #COVID19 cases, 38,303 recoveries and 431 deaths in last 24 hours, as per Health Ministry.
Total cases: 3,33,47,325
Active cases: 3,42,923
Total recoveries: 3,25,60,474
Death toll: 4,43,928
દિલ્હીમાં એક પણ મોત નહીં
દિલ્હીમાં બુધવારે કોરોના વાયરસના 57 નવા કેસ આવ્યા છે અને કોઈ પણ સંક્રમિતે જીવ ગુમાવ્યો નથી. સંક્રમણ દર 0.08 ટકા નોંધાયો છે. દિલ્હીમાં સપ્ટેમ્બરમાં સંક્રમણના કારણે એક દર્દીનું મોત થયું છે. સ્વાસ્થ્ય બુલેટિનના અનુસાર દિલ્હીમાં કુલ કેસ 14,38,345 થયા છે તો તેમાંથી 14.12 લાખથી વધારે સાજા થયા છે. દિલ્હીમાં 25083 લોકોના મોત થયા છે. અહીં સંક્રમણ દર 0,05 ટકા છે તો 28 માર્ચ બાદ સંક્રમણના કેસ સૌથી ઓછા રહ્યા છે.
કેરળમાં નથી ઘટી રહ્યા કેસ
કેરળમાં બુધવારે કોરોના વાયરસના 17,681 નવા કેસ આવ્યા તો સાથે 208 લોકોના મોત થયા હતા. કુલ કેસની સંખ્યા વધીને 44,24,046 થઈ છે અને સાથે મૃતકોની સંખ્યા 22,987 થઈ છે. સરકારની તરફથી જાહેર સૂચના અનુસાર 1 દિવસમાં 25,588 લોકો સાજા થયા છે અને સાથે કુલ 42,09,746 લોકો સાજા થયા છે. 24 કલાકમાં 97,070 ટેસ્ટની તપાસ કરાઈ છે.