સતત કોરોનાનો કેર ઘટી રહ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાના 19, 740 નવા મામલા સામે આવ્યા છે.
ગત 24 કલાકમાં કોરોનાના 19, 740 નવા કેસ
એક્ટિવિટી મામલા પણ માર્ચ 2020 બાદથી નીચલા સ્તર પર
સાજા થનારાની સંખ્યા નવા મામલાથી વધારે
ગત 24 કલાકમાં કોરોનાના 19, 740 નવા કેસ
ગત કેટલાક દિવસોથી દેશભરમાં કોરોનાનો કેર થોડોક ઓછો થતો જણાઈ રહ્યો છે. એક્ટિવ કેસની સાથે સાથે નવા મામલાની સંખ્યામાં ઘટાડો જોવ મળી રહ્યો છે. ગત 24 કલાકમાં કોરોનાના 19, 740 નવા મામલા સામે આવ્યા છે. ત્યારે એક્ટિવિટી મામલા પણ માર્ચ 2020 બાદથી નીચલા સ્તર પર છે.
સાજા થનારાની સંખ્યા નવા મામલાથી વધારે
રાહતની વાત એ છે કે કોરોનાથી સાજા થનારાની સંખ્યા નવા મામલાથી વધારે છે. એટલે કે જો લોકોને કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. તેનાથી વધારે લોકો કોરોનાથી સાજા થઈ રહ્યા છે. ગત 24 કલાકમાં 23, 070 લોકો કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. જે બાદ દેશમાં સાજા થનારાની કુલ સંખ્યા 3, 32, 48.291 પહોંચી ગઈ છે.
એક્ટિવ કેસ પણ 206 દિવસમાં સૌથી ઓછા
ત્યારે કોરોનાના એક્ટિવ કેસ પણ 206 દિવસમાં સૌથી ઓછા છે. હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 2, 36, 643 છે. અઠવાડિયાનો સકારાત્મક દર પણ 3 ટકા થી નીચે છે. હાલમાં આ 1.62 ટકા છે. દૈનિક પોઝિટિવિટી રેટની વાત કરીએ તો આ 1.56 ટકા બનેલી છે.
અત્યાર સુધી કુલ 58.13 કરોડ ટેસ્ટ કરાઈ ચૂક્યા
આ ઉપરાંત કોરોના મામલાની ઓળખ કરવા માટે સતત કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કુલ 58.13 કરોડ ટેસ્ટ કરાઈ ચૂક્યા છે. લોકોના કોરોનાથી સુરક્ષા પ્રદાન કરવા માટે દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધી 93.99 કરોડ રસી લગાવાઈ ચૂકી છે.