દેશમાં કોરોનાના આંકડામાં ભલે ઘટાડો આવ્યો હોય પણ ચિત્ર સ્પષ્ટ છે કે હજૂ પણ દરરોજ આંકડા સતત 12 હજારને પાર રહે છે.
દેશમાં કોરોના રોકાવાનું નામ નથી લેતો
દરરોજના આંકડા 12 હજારની આસપાસ
નવા કેસોમાં આવ્યો 23.4 ટકાનો ઉછાળો
દેશમાં કોરોનાના આંકડામાં ભલે ઘટાડો આવ્યો હોય પણ ચિત્ર સ્પષ્ટ છે કે હજૂ પણ દરરોજ આંકડા સતત 12 હજારને પાર રહે છે. જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ મહામારીથી 12 હજાર 249 નવા લોકો સંક્રમિત થાય છે, તો વળી એક્ટિવ કેસની સંખ્યા 81 હજારને પાર પહોંચી ચુકી છે. આ આંકડા બાદ ડેઈલી પોઝિટિવિટી રેટ 3.94 ટકાએ પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર, 9 હજાર 862 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. જે બાદ કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 42,725,055 થઈ ગઈ છે. મોતના આંકડા જોઈએ તો, છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે, જે બાદ આ આંકડો 5 લાખ 24 હજાર 903 થઈ ગયો છે.
#COVID19 | India reports 12,249 fresh cases, 9,862 recoveries and 13 deaths in the last 24 hours.
દેશમાં કોરોના વાયરસના નવા કેસ મામલે 23.4 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 12249 લોકો સંક્રમિત થયા છે. જ્યારે આ અગાઉ 21 જૂને જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 24 કલાકમાં 9 હજાર 923 નવા કેસ સામે આવ્યા હતા.
81687 થયા કોરોનાના એક્ટિવ કેસ
કોવિડ 19ના નવા કેસમાં ઉછાળા સાથે એક્ટિવ કેસની સંખ્યા વધવા લાગી છે અને દેશમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 81687 થઈ ગઈ છે. દેશભરમાં 4 કરોડ 27 લાખ 25 હજાર 55 લોકો આ વાયરસથી સાજા થઈ ચુક્યા છે. જ્યારે મહામારીના કારણે 5 લાખ 24 હજાર 903 લોકોના મોત થઈ ગયા છે.
મહારાષ્ટ્રની સ્થિતિ
તો વળી મહારાષ્ટ્રની વાત કરીએ તો, કોરોના વાયરસથી અહીં છેલ્લા 24 કલાકમાં નવા 3659 કેસ આવ્યા, જે બાદ રાજ્યમાં સંંક્રમિત લોકોની સંખ્યા 7941762 થઈ ગઈ છે. એક દિવસ પહેલા 2354 નવા કેસ સામે આવ્યા હતા. કાલની સરખામણીએ આજની સંખ્યા 1305 વધારે કેસ એટલે કે, 55 ટકા વધારે છે.