દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણે થોડી રાહત આપ્યા બાદ ફરી મોટો ઉછાળો લગાવ્યો છે. દેશમાં પહેલી વખત એક દિવસમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારની નજીક પહોંચી છે. આરોગ્ય મંત્રાલયેના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,903 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 379 દર્દીઓના મૃત્યું થયા છે.
નવા કેસ સામે આવવાની સાથે જ દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 6 લાખ 25 હજાર 544 થઇ ગઇ છે. કોરોનાથી મરનાર દર્દીઓનો આંકડો 18,213 થઇ ગયો છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 2,27,439 એક્ટિવ કેસ છે. કોરોનાની મહામારીથી અત્યાર સુધીમાં 18,213 દર્દીઓના મૃત્યું થયા છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 3,79,891 લોકો સાજા થઇ ગયા છે. જ્યારે એક વિદેશ પરત ફરી ચૂક્યાં છે. કોરોના વાયરસથી સૌથી વધારે મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત જોવા મળી રહ્યું છે.
કોરોનાને લઇને મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6,330 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે દિલ્હીમાં એક દિવસમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,373 છે.
તામિલનાડુમાં 4,343, ઉત્તર પ્રદેશમાં 769, પશ્ચિમ બંગાળમાં 649, રાજસ્થાનમાં 350 અને પંજાબમાં 116 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે આ વચ્ચે સારી વાત એ છે કે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની ઠીક થઇ જવાનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. દેશમાં દર્દીઓનો રિકવરી રેટ 58.24 ટકા થઇ ગયો છે.