દેશમાં 24 કલાકમાં 27,254 નવા મામલા નોંધાયા અને 219 દર્દીના મોત થયા છે.
દેશમાં 27,254 નવા મામલા સામે આવ્યા છે
દેશમાં 219 દર્દીના મોત થયા છે
24 કલાકમાં 53,38,945 લોકોને અપાઈ રસી
દેશમાં 27,254 નવા મામલા સામે આવ્યા છે
દેશભરમાં કોરોનાના 27,254 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ દેશમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા હવે 3,32, 64, 175 થઈ ગઈ છે. જ્યારે આ દરમિયાન 219 દર્દીના મોત બાદ મરનારની સંખ્યાનો આંકડો 442874 પર પહોંચી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસે એક્ટિવ દર્દી હવે ઘટીને 3, 74, 269 લાખ થઈ ગયા છે.
24 કલાકમાં દેશમાં 37, 687 લોકો કોરોનાથી સાજા થયા
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ગત 24 કલાકમાં દેશમાં 37, 687 લોકો કોરોનાથી સાજા થયા છે. જે બાદ કોરોનાથી સાજા થનારાની સંખ્યા 3,24, 47, 032 થઈ ગઈ છે. ત્યારે એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 3, 74, 269 છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોનના એક્ટિવ કેસની સંખ્યા 1.13 ટકા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.26 ટકા છે અને રિકવરી રેટ 97.54 ટકા છે.
કેરળમાં સ્પીડથી આગળ વધી રહ્યો છે કોરોના
ત્યારે એક દિવસમાં કેરળમાં કોરોનાના કુલ 20240 નવા કેસ આવ્યા છે અને સાથે જ 67 લોકોના મોત થયા છે. રાજ્યમાં રોજના 20 હજારથી વધારે મામલા નોંધાયા છે. ગત શનિવારે કોરોનાના 20,487 નવા મામલા સામે આવ્યા છે. આ દરમિયાન 180થી વધારે લોકોના મોત થયા છે. ત્યારે રિપોર્ટના અનુસાર 22,155 લોકો સાજા થયા છે. એક્ટિવ મામલાની સંખ્યા 2,31, 792 થઈ ગઈ છે. જ્યારે મરનારની સંખ્યા વધીને 22, 484 સુધી પહોંચી ગઈ છે.
24 કલાકમાં 53,38,945 લોકોને અપાઈ રસી
ICMRએ ટ્વીચ કરી જણાવ્યું કે ગત 24 કલાકમાં દેશમાં 53, 38, 945 લોકોની વિરુદ્ધ રસી લગાવી. જે બાદ કુલ રસીકરણના આંકડા 74, 38, 37,643 થઈ ગયો છે. ગત 24 કલાકમાં 12, 08, 247 લોકોના ટેસ્ટ થયા. અત્યાર સુધીમાં કુલ 54,30,14,076 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશના આંકડા
કુલ મામલા- 3,32,64,175
એક્ટિવ કેસ- 3,74,269
સાજા થનારા- 3,24,47,032
મરનારની સંખ્યા- 4,42,874
રસીકરણ - 74,38,37,643