કોરોનાના મામલામાં ગુરુવારે વધારો જોવા મળ્યો છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 11 હજાર 919 નવા દર્દી જોવા મળ્યા છે. આ દરમિયાન 470 દર્દીના મોત થયા છે. હાલમાં ભારતમાં 1 લાખ 28 હજાર 762 દર્દીની સારવાર ચાલું છે. નવા આંકડા મળતા દેશમાં એક્ટીવ કેસની સંખ્યા 3 કરોડ 44 લાખ 78 હજાર 517 પર પહોંચી ગઈ છે. ત્યારે 4 લાખ 64 હજાર 623 દર્દી જીવ ગુમાવી ચૂક્યા છે.
માંડવિયાએ ટ્વીટ કરી રસીકરણને લઈને કહી આ વાત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે કોરોનાની રસીના બન્ને ડોઝ લેનારાની સંખ્યા દેશમાં એક ડોઝ લેનારા કરતા વધારે થઈ ગઈ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન ભાગીદારી અને સંપૂર્ણ સરકારી દ્રષ્ટિકોણની દૂરદ્રષ્ટિ, સરકારમાં લોકોનો વિશ્વાસ અને ઘર ઘર દસ્તક અભિયાનના કારણે આ સફળતા મળી છે.
માંડવિયાએ તમામ પાત્ર નાગરિકોને કરી આ અપીલ
તેમણે ટ્વીટ કરી તમામ પાત્ર નાગરિકોને રસી લગાવવા માટે અપીલ કરી. તેમણે કહ્યું કે એક સાથે મળીને કોરોનાની વિરુદ્ધ લડાઈ જીતવા, નિવેદન અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહિનાથી ચાલી રહેલા ‘ઘરે ઘરે દસ્તક’ અભિયાનના અંત સુધી દેશના દરેક ભારતીયનું રસીકરણ કરી દેશે.
બુધવારે સર્જાયો આ રેકોર્ડ
તેમણે કહ્યું કે આને 1,16,73,459 રસીકરણ સત્રના માધ્યમથી મેળવી શકાય છે. જેમાંથી 75,57,24,081 ને પહેલા ડોઝ તરીકે આપવામાં આવી અને 38,11,55,604 ડોઝ બીજા ડોઝના માધ્યમથી આપવામાં આવી. રસીના બન્ને ડોઝ લેનારા લોકોની સંખ્યા 38,11,55,604 અને પહેલો ડોઝ લેનારની સંખ્યા 37,45,68,477 ને પાર ચાલી ગઈ છે.