ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ એન્ટી વાયરલ દવા બનાવી છે જે કોરોના વાયરસને 99.9 ટકા ખતમ કરી નાખવાની ક્ષમતા ધરાવે છે.
ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ કોરોનાની નવી દવા બનાવી
કોરોનાનો 99.9 ટકા ખાતમો કરી શકે છે તેવો દાવો
ફેફસામાં જઈને વાયરસને ખતમ કરી શકે છે
કોરોના મહામારીનો સામનો કરી રહેલા લોકો માટે સારા સમાચાર
કોરોના મહામારીનો સામનો કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડના યુનિવર્સિટીના સંશોધકો દ્વારા બનાવાયેલી દવા જીન સાઈલેન્સિંગ દ્વારા કામ કરે છે.
આ દવાને ઈન્જેક્શન દ્વારા દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ દવાથી 95 ટકા બીમારીને બ્લોક કરવાની ક્ષમતા સામે આવી છે.
ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર નિગેલ મેકમિલને જણાવ્યું કે આ ટ્રીટમેન્ટના સહારે વાયરસના નવા સ્ટ્રેનમાં તબ્દિલ થતા પણ રોકી શકાય છે.
મેકમિલનને આશા છે કે આ ટ્રીટમેન્ટની સાથે દુનિયામાં કોરોના વાયરસને કારણે થનારા મોતોની સંખ્યામાં ઘટાડો આવી શકે છે. આ ટ્રીટમેન્ટ કોરોના પોઝિટીવ દર્દીના ફેફસામાં જઈને વાયરસને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે.
ક્વિન્સલેન્ડના યુનિવર્સિટીના સંશોધકોએ સૌથી પહેલા ઊંદરો પર પ્રયાગો શરુ કરી દીધા છે
ક્વિન્સલેન્ડના યુનિવર્સિટીના સંશોધકોએ સૌથી પહેલા ઊંદરો પર પ્રયાગો શરુ કરી દીધા છે અને તેના સારા પરિણામો મળ્યાં છે.સંશોધકોએ એવું પણ જણાવ્યું કે આ ટ્રીટમેન્ટ દ્વારા શરીરના સામાન્ય કોષો પર કોઈ અસર નહીં પડે. ઉલ્લેખનીય છટે કે રેમડેસિવિર જેવા બીજા પણ એન્ટી વાયરલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે જેનાથી કોરોનાના દર્દીઓમાં વધારે ઝડપથી રિકવરી આવે છે. પરંતુ આ પહેલી એવી સારવાર છે કે જેમાં વાયરસને સંપૂર્ણ રીતે ખતમ કરવાની કોશિશ કરવામાં આવશે. જોકે આ દવા માર્કેટમાં આવતા થોડો સમય લાગી શકે છે.