24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 43 હજાર 393 નવા મામલા મળ્યા તો 911 દર્દીના મોત થયા છે.
મામલાની સંખ્યા 40 હજારને પાર બનેલી છે
24 કલાકમાં 43 હજાર 393 નવા મામલા
કુલ 4 લાખ 4 હજાર 939 લોકોના જીવ ગયા
મામલાની સંખ્યા 40 હજારને પાર બનેલી છે
ભારતમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા 40 હજારને પાર બનેલી છે. ગત 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 43 હજાર 393 નવા મામલા મળ્યા. આ દરમિયાન 911 દર્દીના મોત થયા છે. હાલમાં દેશમાં 4 લાખ 58 હજાર 727 દર્દીની સારવાર ચાલુ છે. નવા આંકડા ઉમેરતા કુલ 3 કરોડ 7 લાખ 52 હજાર 950 થઈ ગઈ છે. ત્યારે મહામારીમાં અત્યાર સુધીમાં 4 લાખ 4 હજાર 939 લોકોના જીવ ગયા છે.
સૌથી વધારે મામલા કેરળમાં મળ્યા
ગત 24 કલાકમાં સૌથી વધારે મામલા કેરળમાં મળ્યા છે. દક્ષિણ ભારત રાજ્યમાં સંક્રમણના 13 હજાર 772 નવા મામલા મળ્યા છે. આ બાદ તમિલનાડુમાં 3 હજાર 211, આંધ્ર પ્રદેશમાં 2 હજાર 982 અને દિલ્હીમાં 93 દર્દીની ઓળખ થઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તરફથી જારી આંકડા મુજબ 8 જુલાઈ સુધી 42 કરોડ 70 લાખ 16 હજાર 605 નમુનાની તપાસ થઈ ચૂકી છે. ગત દિવસોમાં દેશમાં 17 લાખ 90 હજાર 708 નમૂનાની તપાસ કરવામાં આવી છે.
પીએમ કરશે બેઠક
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાનુંસાર શુક્રવારે સવારે પીએમ મોદી દેશભરમાં ઓક્સીજનની ઉપલબ્ધતા અને વધારાને લઈને એક હાઈલેવલ મીટિંગ કરવાના છે. એપ્રિલ- મેમાં કોરોના વાયરસ સંકટ દરમિયાન દેશના અનેક ભાગોમાં મેડિકલ ઓક્સિજનની અછતના સમાચાર આવ્યા હતા.
બાળકોને જલ્દી મળી શકે છે રસી
કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને દેશમાં બાળકો માટે રસીકરણ સપ્ટેમ્બરથી શરુ થશે. 12થી 18 વર્ષના બાળકોને ઝાયડસની રસી આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર કંપનીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે.