ગુજરાતમાં આજે(5-8-2022) કોરોનાના 947 નવા કેસ નોંધાયા છે, 1198 દર્દી સાજા થયા અને 3 દર્દીના મોત થયા છે.
આજે રાજ્યમાં કોરોનાને કારણે 3 મૃત્યુ થયા
અમદાવાદ, ગાંધીનગર અને મોરબીમાં મૃત્યુ
રાજ્યમાં આજે કોરોનાના વધુ 947 કેસ નોંધાયા
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ 1 હજારની આસપાસ નોંધાઇ રહ્યા છે. ત્યારે આજે રાજ્યમાં કોરોના 947 કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે 3 દર્દીના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર અને મોરબીમાં 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5992 પહોંચી છે. જેમાંથી 22 દર્દીઓની વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે, બાકીના તમામ સ્ટેબલ છે.
આજે રાજ્યમાં કુલ 3.83 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધી કોરોનાની રસીના કુલ 11.82 લાખથી વધુ ડોઝ અપાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.65 ટકા પહોંચ્યો છે.