ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1150 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા કેસ મામલે 18 ટકાનો વધારો થયો છે, જે ચિંતાનો વિષય છે.
ભારતમાં ફરી એક વાર કોરોનાની રોકેટ ગતિ
દિવસે ને દિવસે વધી રહ્યા છે કેસો
છેલ્લા 24 કલાકમાં 4 લોકોના મોત પણ થયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1150 નવા કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા કેસ મામલે 18 ટકાનો વધારો થયો છે, જે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં વાયરસના કારણે 4 લોકોના મોત પણ થયા છે.
કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો
આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 11,5558 થઈ ગઈ છે. આ સંખ્યા કોરોનાના અત્યાર સુધીમાં કુલ મામલામાં 0.03 ટકા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી રિકવરી થઈ છે, જે મહામારીની શરૂઆતથી અત્યાર સુધીના દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,25,08,788 થઈ ગઈ છે. ભારતનો રિકવરી રેટ 98.76 ટકા થઈ ગયો છે.
186 કરોડથી વધારે લગાવ્યા વેક્સિનના ડોઝ
આપને જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વિરુદ્ધના રસીકરણ અભિયાન ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 186.51 કરોડથી પણ વધારે વેક્સિનના ડોઝ લગાવામા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12,56,533 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે.
દિલ્હીમાં વધ્યા કોરોનાના કેસ
દિલ્હીમાં શનિવારે કોરોનાના નવા 461 કેસ સામે આવ્યા છે. જેમાં સંક્રમણથી બે લોકોના મોત પણ થયા છે. શહેરના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર 5.33 ટકા થઈ ગયો છે.