ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના કાળ દરમિયાન સૌથી વધુ અસર શિક્ષણ પર જોવા મળી છે. જો કે સરકાર દ્વારા અનલોક દરમિયાન પરીક્ષાના આયોજન અંગે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ત્રીજા તબક્કાની પરીક્ષાઓ શરૂ થઇ છે.
આજથી યુનિવર્સિટીના ત્રીજા તબક્કાની પરીક્ષા શરૂ
કોરોનાના કરાણે 800 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહતા
BA, BBA, BCA સહિત વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
આજથી યુનિવર્સિટી દ્વારા ત્રીજા તબક્કાની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. કોરોના કારણે 800 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહોતા. પરીક્ષા યુનિવર્સિટીના કે. એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ખાતે લેવાશે.
યુનિવર્સિટીની ત્રીજા તબક્કાની પરીક્ષામાં બીએ, બીબીએ, બીસીએ સહિત વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જો કે કોરોના કાળમાં લેવામાં આવી રહેલી આ પરીક્ષામાં કોવિડના નિયમોનું કડક પાલન કરાવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 30 સપ્ટેમ્બરથી 24 જેટલા કોર્સમાં માટે ઓનલાઇન પરીક્ષા યોજી હતી. જો કે આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ ફરજિયાત આપવાની હતી.