દેશમાં શનિવારથી અનલોક -3 ની શરૂઆત થઈ રહી છે. આ સમયે આજે દેશમાં બકરીઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. એવામાં પ્રદેશની યોગી સરકારે અનલોક 3 અને બકરીઈદને લઈને ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તો જાણી લો શું છે નિયમ. આ સાથે જ તહેવારોમાં શુ ખુલ્લું રહેશે અને શું રહેશે બંધ.
યૂપીમાં જાહેર કરાઈ ખાસ ગાઈડલાઈન
બકરીઈદ અને રક્ષાબંધને શું ખુલશે, શું રહેશે બંધ
અનલોક -3 માટે તૈયાર કરાઈ છે ખાસ ગાઈડલાઈન
બકરીઈદ માટે છે આ ખાસ ગાઈડલાઈન
બકરીઈદને લીને સરકારની તરફથી ખાસ દિશા નિર્દેશ મળી રહ્યા છે. મસ્જિદમાં સામૂહિક નમાઝ પર રોક લગાવવામાં આવી છે. આ સિવાય ખુલ્લામાં જાનવરોની કુરબાની અને ખુલ્લામાં માંસ લઈ જવાની પણ પરમિશન મળી નથી. સાંપ્રદાયિક ભાવનાઓનું ધ્યાન રાખવા અને લોકોને સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.
જાણો યૂપીમાં અનલોક 3માં શુ ખૂલશે અને શું રહેશે બંધ
1 ઓગસ્ટથી લાગૂ થઈ રહેલા અનલોક 3માં અનેક રાહત આપવામાં આવી છે. 5 ઓગસ્ટથી જિમ ખૂલશે અને નાઈટ કર્ફ્યૂ પૂરો થશે. સિનેમા હોલ, સ્વીમિંગ પુલ, મનોરંજન પાર્ક, થિયેટર, એસેમ્બલી હોલ, યોગ સંસ્થાઓ બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રાઓ, મેટ્રો રેલ, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે. આ સિવાય શાળા અને શૈક્ષણિક સંસ્થા પણ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લાગૂ રહેશે.
ગાઈડલાઈનના આધારે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટન્સિંગ અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય પ્રોટોકોલની સાથે આયોજિત કરાશે. 65 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ, રોગી અને ગર્ભવતી મહિલાઓને ઘરની બહાર નીકળવા પર પાબંધી રહેશે. 10 વર્ષથી નાના બાળકોને પણ ઘરની બહાર લઈ જઈ શકાશે નહીં.
ઈદ અને રક્ષાબંધને ખુલ્લી રહેશે આ દુકાનો
1થી 3 ઓગસ્ટની મધ્યમાં બકરીઈદ અને રત્રાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને શનિવાર અને રવિવારે મીઠાઈ, બેકરી, પશુ વેચાણ અને રાખડી વેચાણની દુકાનો સવારે 9થી સાંજે 5 સુધી ખોલવાની મંજૂરી અપાઈ છે.
જાહેર કરાયું છે વીકેન્ડ લોકડાઉન
યૂપીમાં વીકેન્ડ લોકડાઉન ચાલુ રહેશે. શુક્રવારે રાતે 10થી સોમવારે સવારે 5 સુધી લોકડાઉન કાયમ રહેશે.