હાલ આખુ વિશ્વ કોરોના સામે જંગે ચઢ્યું છે ત્યારે લોકડાઉન બાદ ધીરે ધીરે દેશમાં અનલૉકની પ્રક્રિયા થઈ રહી છે. જો કે કેસ અને મૃત્યુનો આંકડો તો વધી રહ્યો છે પણ તેમ છતાં કોરોનાની મહામારીમાં પણ જનજીવન સામાન્ય બનાવવા 31મી જુલાઈએ અનલૉક-2 પૂરુ થશે ત્યારે હવે અનલોક 3ની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. આવો જાણીએ શું મળી શકે છે છૂટ અને શું રહેશે બંધ?
દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે.
શું ખોલવાની જોવાઈ રહી છે રાહ
કેન્દ્ર સરકાર શું છૂટછાટ આપશે?
કોરોના વાઈરસના કહેર પછી જાહેર કરાયેલું અનલૉક-2 31મી જુલાઈ, શુક્રવારના રોજ પૂરું થઈ રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે અનલોક 3ની તૈયારીઓ સરકાર કરી રહી છે. જો કે કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે કેટલીક જગ્યાએ આપેલી છૂટછાટ પાછી પણ ખેંચાઈ શકે છે.
શું ખોલવાની જોવાઈ રહી છે રાહ
અનલોક 3માં જિમ અને થિયેટરો શરુ થવાની શક્યતા જોવાઈ રહી છે. થીએટર સંચાલકો માટે 25 ટકા સીટો સાથે થીએટર ખોલવા માટેની પરવાનગી આપવામાં આવી શકે છે. જો કે સરકારના આ નિર્ણયના લીધે સંચાલકોમાં થોડી નારાજગી દેખાઈ રહી છે. સંચાલકો 50 ટકા સીટો સાથે શરૂ કરવા માટે સહમત છે. 25 ટકામાં નુકશાન વધુ થશે તેવું સંચાલકો માની રહ્યા છે. ગુજરાતમાં 200 થિયેટરો હાલ પાંચ મહિનાથી સંપૂર્ણ બંધ છે. અનલોક 3માં થિયેટરો ખોલવા ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાવી દેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર શું છૂટછાટ આપશે?
કેન્દ્ર સરકાર ઓગસ્ટથી અનલૉક-3ની જાહેરાત કરીને કેટલીક છૂટછાટ આપી શકે છે. ખાસ કરીને અનલૉક-3માં મલ્ટિપ્લેક્સ, સિંગલ સિનેમા હૉલ અને જિમ ખોલવાની મંજૂરી મળી શકે છે.
દેશભરની સ્કૂલો અને મેટ્રો સેવા પહેલાની જેમ જ બંધ રહેશે.
દેશભરમાં શાળાઓ, મેટ્રો પહેલાની જેમ જ બંધ રહેશે. તમામ રાજ્યો માટે પણ અનલોક-3માં વધુ કેટલીક છૂટછાટો અપાશે, શાળા-કોલેજો ખોલવા પર શરૂઆતમાં વિચાર કરાયો હતો, પરંતુ કોરોના સંક્રમણ વધતાં ચિંતિત સરકાર હજુ શૈક્ષણિક સંસ્થાઓ બંધ જ રાખી શકે છે.
PM મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવી હતી. જેમાં વધતા કેસો અને અનલોક-3 અંગેની ચર્ચા કરી હતી. 31મી જુલાઇએ અનલોકનો બીજો રાઉન્ડ પૂરો થઇ રહ્યો છે ત્યારે આગામી રણનીતિ અંગે પણ વિચારણા થઇ શકે છે.