કોરોના વાયરસ મહામારીએ દુનિયાભરમાં તાંડવ મચાવ્યો છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 1 લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. પોણી દુનિયા બંધ પડી છે, આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે માત્ર એક વેક્સીન જ દુનિયાને સામાન્ય પાટા પર લાવી શકે છે.
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર મચાવ્યો
કોરોના વાયરસ પર સંયુક્ત રાષ્ટ્રએ મોટું નિવેદન આપ્યું
માત્ર વેક્સીન જ પરિસ્થિતિ સામાન્ય કરી શકે છેઃ UN
સંયુક્ત રાષ્ટ્ર(UN)ના પ્રમુખ એન્ટોનિયો ગુતેરસે કોરોના વાયરસ મામલે કહ્યું કે કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે, તેવામાં જો દુનિયાને પાછી પાટા પર લાવવી હોય તો તે એક વેક્સીનના કારણે જ આવી શકે છે. જો તાત્કાલીક કોરોના વાયરસને લઇને દવાઓ તૈયાર થયા છે, તો દુનિયા માટે સારુ હશે.
સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું કે, તેમને આશા છે કે આ વર્ષના અંતમાં દુનિયામાં શાનદાર વેક્સીન તૈયાર થઇ જશે. એન્ટોનિયો ગુતેરસે આ વાત આફ્રીકી દેશોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા કહી.
ગુતેરસે અપીલ કરી કે દુનિયાએ કોરોના વાયરસ વિરૂદ્ધ વેક્સીન બનાવવામાં એકજૂટ થવું પડશે, તમામ દેશ મળીને એક સાથે કામ કરે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી 25 માર્ચે 2 બિલિયન ડૉલર એકત્રીત કરવાની અપીલ કરવામાં આવી હતી, જેથી કોરોના મહામારીથી લડી શકાય પરંતુ અત્યાર સુધી આનો 20 ટકા ભાગજ એકઠો થઇ શક્યો છે.
દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકામાં સામે આવ્યા છે, અહીં 6 લાખથી વધુ લોકો આની ઝપેટમાં છે જ્યારે 25 હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દુનિયાના કેટલાક દેશ આ સમયે કોરોના વાયરસથી લડવા માટે વેક્સીન બનાવવા પર કામ કરી રહ્યા છે, અમેરિકામાં આ ટેસ્ટ બીજા સ્ટેજમાં છે જ્યારે ભારતમાં આના પર કામ ચાલી રહ્યું છે.