કોરોના વાયરસ સામેનું યુદ્ધ તીવ્ર બની રહ્યું છે. આના ઉપચાર માટે વૈજ્ઞાનિકોએ સમય સાથે લડાઈ લડવી પડે તેમ છે. દરરોજ તેમના પર કોવિડ 19 રોગની સારવાર શોધવા માટે દબાણ વધી રહ્યું છે. આ વાયરસ કેવી રીતે કાર્ય કરે છે અને તેની સારવાર માટે શું થઈ રહ્યું છે તે વિશે વિશેષ માહિતી આપવામાં આવી રહી છે.
સંશોધનકારોએ એવી રસી તૈયાર કરી છે જેમાં સંપૂર્ણ વાયરસ નહીં પણ એક જ સ્પાઇક પ્રોટીન હોય છે
હાલમાં વિશ્વમાં 70થી વધુ રસી વિકસાવી રહી છે
આ રસી લોકો સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 18 મહિનાનો સમય લેશે
કેટલીક દવાઓની પણ તપાસ કરવામાં આવી છે પરંતુ તેના પરિણામો બહુ પ્રોત્સાહક નથી
ભારતમાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) એ ફેવિપીરવીર દવાનું એન્ડ-ટૂ-એન્ડ સિન્થેસિસ પૂર્ણ કર્યું છે
શું આપણે પોતાના શરીરને કોરોના વાયરસના હુમલાથી બચાવી શકીએ?
નોવેલ કોરોના વાયરસ અથવા સાર્સ કોવ -2 એ પ્રોટીનથી બનેલો વાયરસ છે જે પોતાની રચના ઉપર ખાસ પ્રકારના સ્પાઇક્સ એટલે કે અણીદાર ડટ્ટા ધરાવે છે. તાજ જેવા તેના આકારને કારણે, તેને કોરોના વાયરસ નામ મળ્યું છે. આ પ્રોટીનને લીધે તે માનવ કોષોમાં પ્રવેશી શકે છે.
આ નવો વાયરસ (સાર્સ કોવ -2) તેના પૂર્વગામી કોરોના વાયરસ સાર્સ અથવા મર્સ જેવો છે. આ કારણોસર વૈજ્ઞાનિકો આ રોગો પર કરવામાં આવેલા સંશોધનની પણ તપાસ કરી રહ્યા છે. આ પહેલા 2003માં સાર્સ જેવી બીમારી ફેલાઈ હતી. બંને વાયરસ માનવ કોષના ACE 2 નામના પ્રોટીનથી વળગી રહે છે અને પછી તે ફેફસાં અને નાના આંતરડામાં ફેલાય છે.
સાર્સ કોવ -2 ની આ ઘૂસણખોરીને અટકાવી શકાય છે જો તેને ACE 2 માં જોડાતા અટકાવી શકાય. આપણી રોગ પ્રતિકારક શક્તિ વાયરસને રોકવા માટે આમ કરે છે. તે એન્ટિબોડીઝ બનાવે છે જે વાયરસ સ્પાઇક્સને ACE 2 થી ચોંટતા અટકાવે છે. આ સિવાય આનાથી બચવા માટેના ઘણા રસ્તાઓ છે.
આ પ્રકારની સમસ્યા માટે રસી એ સૌથી અસરકારક ઉપાય છે
રસીએ કાયમ માટેનો ઉપચાર છે. રસી હાનિકારક બેક્ટેરિયા વાયરસ વગેરેનું નબળું સ્વરૂપ છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને તાલીમ આપી શકે છે એટલે કે તે તેનાથી લડવામાં મદદ કરી શકે છે. પરંતુ એક ભય રહે છે કે તે જાતે પણ ચેપ લાવી શકે છે. પરંતુ સંશોધનકારોએ એવી રસી તૈયાર કરી છે જેમાં સંપૂર્ણ વાયરસ નહીં પણ એક જ સ્પાઇક પ્રોટીન હોય છે. આવી રસી એન્ટિબોડીઝ બનાવવામાં ખૂબ સારો પ્રતિસાદ આપશે.
હાલમાં વિશ્વમાં 70થી વધુ રસી વિકસાવી રહી છે. આમાંથી એક ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં વિકસિત રસી શામેલ છે જેના પર ગુરુવારથી ટ્રાયલ શરૂ થઈ છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે રસી ઓક્ટોબર સુધીમાં વિકસી શકે છે. પરંતુ મોટાભાગના નિષ્ણાતો માને છે કે આ રસી લોકો સુધી પહોંચવામાં ઓછામાં ઓછા 18 મહિનાનો સમય લેશે.
અસરકારક ઉપાય એન્ટિબોડીઝ પણ છે
એન્ટિબોડીઝ એ ચેપથી બચેલા લોકોનું પ્લાઝ્મા છે. રસીથી વિપરીત, પ્લાઝ્મા આપણી રોગ પ્રતિકારક શક્તિને તાલીમ આપતું નથી પરંતુ રોગપ્રતિકારક તંત્રના સૈન્યને ટેકો આપીને વાયરસને નબળા બનાવે છે. દિલ્હીના કેટલાક દર્દીઓમાં પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હવે તેનો ઉપયોગ મુંબઈમાં અને ગુજરાતમાં પણ કરવામાં આવશે.
શું આપણે વાયરસને મારી ના શકીએ?
માનવ શરીરની બહારના ભાગમાં, વાયરસની ટોચની સપાટીને સાબુથી ધોઈને અથવા સેનિટાઇઝરનો ઉપયોગ કરીને દૂર કરવામાં આવે છે, જે વાયરસને ઝડપથી મારે છે. પરંતુ શરીરની અંદર તે નષ્ટ થવાને બદલે બીજા પોતાના જેવા વાયરસની પ્રજોત્પત્તિ કરવા માંડે છે. અત્યાર સુધી, અન્ય રોગો સામે બનાવવામાં આવતી દવાઓ કોવિડ 19 સામે વધુ અસરકારક સાબિત થઈ નથી.
દવાઓ બનવાની શક્યતા શું છે?
આનો ઈલાજ શોધતી વખતે કેટલીક દવાઓની પણ તપાસ કરવામાં આવી છે. કેટલીક મેલેરિયાની દવાઓ પર અજમાયશ ચાલી રહી છે પરંતુ તેના પરિણામો બહુ પ્રોત્સાહક નથી. આ સિવાય આ દવાઓની આડઅસર પણ ખૂબ જોખમી હોય છે. આ સિવાય પ્રોટીઝ ઇનહિબિટર્સ છે, જેનો ઉપયોગ HIV અથવા હેપેટાઇટિસ C જેવા રોગોમાં થાય છે. આનો ઉપયોગ વાયરસની સંખ્યાને વધતી અટકાવવા માટે થાય છે. આ સિવાય પોલિમરેઝ, (ઇબોલાની દવા) રેમડેસિવીર અને (ઈન્ફલ્યુએન્ઝાની દવા) ફેવિપિરાવીર જેવી દવાઓની પણ વિવિધ સ્તરે અજમાયશ ચાલી રહી છે.
તો ભારતમાં શું થઈ રહ્યું છે
ભારતમાં કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) એ ફેવિપીરવીરનું એન્ડ-ટૂ-એન્ડ સિન્થેસિસ પૂર્ણ કર્યું છે. સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડો.શેખર સી. મંડેએ જણાવ્યું હતું કે હવે ભારતમાં આ દવાનું પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ થશે. તે ઈન્ફલ્યુએન્ઝા સામે અસરકારક દવા છે અને ચીન, જાપાન, રશિયા વગેરેમાં અજમાયશ ચાલી રહી છે. આ સિવાય, દિલ્હી અને ભોપાલના એઈમ્સ અને ચંદીગઢમાં પણ સેપ્સિવાક નામની અસરકારક ડ્રગની મર્યાદિત ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.