દેશભરમાં કોરોના વાયરસના સંકટની વચ્ચે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે. દેશમાં હાલ સુધી 102 દર્દીઓ કોરોના વાયરસની બીમારીથી સાજા થયા છે. આ દર્દીઓને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
સૌથી વધારે 7 મોત મહારાષ્ટ્રમાં થયા છે. ગુજરાતમાં 5, કર્ણાટકમાં 3, મધ્યપ્રદેશ અને રાજધાની દિલ્હીમાં 2-2, કેરળ, તેલંગાણા, તમિલનાડુ, જમ્મૂ કાશ્મીર, પંજાબ, પશ્ચિમ બંગાળ, બિહાર અને હિમાચલ પ્રદેશમાં 1-1 મોત થયા છે.
હાલ સુધી 1100થી વધારે લોકો સંક્રમિત
દેશમાં કોરોનાનો કહેર ફેલાયો છે ત્યારે દર્દીઓની સંખ્યા એટકી રહી નથી. દેશના 27 રાજ્યોમાં ફેલાયેલા વાયરસના કારણે 1140 લોકો સંક્રમિત થયા છે. હાલ સુધીમાં 27 લોકોના મોત થયા છે. બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિત લોતોની સંખ્યા 200ને પાર થઈ છે.