ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાના દર્દીઓને આપવામાં આવતા ટોસિલિજુમેબ ઇન્જેકશનને લઇને મોટો ખુલાસો સામે આવ્યો છે. વડોદરામાં ગૌત્રી હોસ્પિટલના નોડલ અધિકારી ડો. મિસ્ત્રીએ નિવેદન આપ્યું છે કે ટોસિલિજુમેબ ઇન્જેકશન ફેઝ-3 ટ્રાયલમાં ફેઇલ જોવા મળ્યું છે.
વડોદરામાં ટોસિલિજુમેબ ઇન્જેક્શનને લઇ મોટો ખુલાસો થયો છે. ટોસિલિજુમેબ ઇન્જેક્શન ફેઝ-3 ટ્રાયલમાં ફેઇલ થયું છે.
ગૌત્રી હોસ્પિટલના નોડલ અધિકારી ડો.મિસ્ત્રીએ નિવેદન આપ્યું છે. ઇન્જેક્શન બનાવનાર સ્વીત્ઝરલેન્ડની રોસ કંપનીએ ખુલાસો કર્યો છે.
સિપ્લા કંપનીએ તબીબોને આ અંગે પત્ર લખ્યો છે. કોરોનાના દર્દીઓ માટે ઇન્જેક્શન માન્ય નથી. ટોસિલિજુમેબના કાળાબજારીના બનાવો પણ સામે આવ્યા હતા.
આ અગાઉ પણ ટોસિલિજુમેબ ઇન્જેકશનને લઇને વિગતો સામે આવી હતી. જેમાં આ ઇન્જેકશનના કાળાબજારીને સવાલ ઉભા થયા હતા. ટોસિલિજુમેબ નકલી ઇન્જેકશન કાંડ પણ સામે આવ્યો હતો.