અત્યારે આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે, ત્યારે આયુષ મંત્રાલયે ભારતીયોને તેમની ઇમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવવા પર ભાર મુકવા કહ્યું છે. એમ પણ ભારતીયોની ઇમ્યુનિટી વિદેશીઓની સરખામણીમાં સ્ટ્રોન્ગ હોય છે. આપણે પહેલેથી જ નાની નાની બિમારીઓ માટે આયુર્વેદિક ઉપચારો કરતા હોઇએ છીએ. આપણી આયુર્વેદિક દવાઓની તો વિદેશમાં પણ ડિમાન્ડ હોય છે. આપણી પાસે તો ઔષધીઓનો ખજાનો છે. આયુષ મંત્રાલયે આવા સમયમાં તુલસીના પાંદડા, તજ, મરી, સુંઠ, ગોળ, સુકી દ્રાક્ષ અને લીંબુ મિક્સ કરીને પીવાની સલાહ આપી છે.
કોરોના સામે લડવા દેશી ઓસડિયા છે અક્સીર
આયુષ મંત્રાલયે પણ ઉકાળો પીવાની સલાહ કેમ આપી
ઈમ્યૂનિટી વધારવાનો બેસ્ટ ઉપાય છે ઉકાળો
શું છે આ વસ્તુઓના ફાયદા
તુલસી પાન
તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. મોસમી અને શ્વાસ સંબંધિત બિમારીઓથી તે બચાવે છે. તે પિત્ત શામક છે. તે શ્વસનતંત્રને પણ મજબુત બનાવે છે.
તજ
તેમાં મિક્સ કરેલા તત્વો શ્વસનતંત્રને મજબુત કરે છે. તે ઇન્ફેક્શનથી બચાવે છે. તેને એકથી ત્રણ ગ્રામની માત્રામાં લઇ શકાય છે. ટીબીના ઇલાજમાં પણ તેનો ઉપયોગ થાય છે.
મરી
તેમાં પાઇપરીન હોય છે. તે બેક્ટેરિયા અને વાઇરસને મારવાનુ કામ કરે છે. તે શ્વાસની બિમારીમાં રાહત પહોંચાડે છે. તે ઓષધીઓને કોશિકાઓ સુધી પહોંચાડવામા મદદ કરે છે અને દવાઓની ક્ષમતા વધારે છે. સુંઠ તે ત્રિકુટનું એક ખાસ દ્વવ્ય હોય છે. તેમા જિંજોરોલ હોય છે જે શ્વાસ સંબંધિત બિમારીઓથી બચાવે છે. તેનાથી પાચન પણ સારુ રહે છે. ખાંસી થઇ હોય ત્યારે મોંમા સુંઠ કે આદુ રાખવાથી લાભ થાય છે.
સુકી દ્રાક્ષ
તે શરીરનું બળ વધારે છે.શરદી- તાવ અને ફેફસા સાથે જોડાયેલા રોગોમાં તેનુ સેવન ફાયદાકારક હોય છે. તે લોહીની કમીને દુર કરે છે.
લીંબુ
તે પીએચ લેવલને જાળવી રાખે છે. તેમાં વિટામીન સી, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા મિનરલ્સ હોય છે. તેનાથી ઇમ્યુનિટી વધે છે.
ગોળ
તેમાં મલ્ટીવિટામીન્સ હોય છે. તેનાથી શરીરને મજબુતાઇ મળે છે. આયુર્વેદ અનુસાર જુનો ગોળ કફનુ શમન કરે છે. ઉકાળામાં તેનો ઉપયોગ કફ શમન અને સ્વાદ વધારવા માટે કરાય છે.