ગુજરાત પર એક તરફ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં તીડના આક્રમણનો આંતકનો ભય જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં સતત છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી ખેતરના પાક પર તીડના આક્રમણની શક્યતાને લઇને પડયા પર પાટુ જેવી પરિસ્થિતિ ઉભી થયેલી જોવા મળી રહી છે.
બનાસકાંઠામાં કોરોના કહેર બાદ તીડનો આંતક
રાજસ્થાનના જેસલમેરમાં તીડનું આક્રમણ
તીડનુ ફરી બનાસકાંઠામા પ્રવેશે તેવી શક્યતા
રાજ્યમાં એક તરફ કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનને લઇને ધંધા-રોજગાર સાવ ઠપ થઇ ગયેલા જોવા મળી રહ્યાં છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં જગતના તાત પર જાણે એક તરફ કમોસમી વરસાદનો કહેર તો બીજી તરફ તીડના આક્રમણની શક્યતાનો મંડરાતો ખતરો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજ્યના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાની બોર્ડર ઉપર તીડના આક્રમણની શક્યતા જાહેર કરાય છે. જેમાં આગામી 48 કલાકમાં તીડ આ જિલ્લાઓના ખેતરમાં આક્રમણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
એક અહેવાલ મુજબ રાજસ્થાનના જેસલમેરમાં તીડનું આક્રમણ જોવા મલ્યું છે. જેને લઇને ગુજરાતના આ જિલ્લાઓમાં તીડનું ટોળુ ફરી આક્રમણ કરે તેવી શક્યતાઓ જોવા મળી છે. જો કે તીડના દહેશતથી તંત્ર એલર્ટ થઇ ગયું છે ત્યારે તીડના ત્રાસને લઇને ખેડૂતો ચિંતિત બન્યાં છે.