દુનિયાભરમાં કોરોનાનો કહેર સતત ફેલાઈ રહ્યો છે અને સાથે જ ભારતમાં પણ કોરોનાના 108 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ સાથે જ કોરોનાથી 2 લોકોનો જીવ લેવાઈ ચૂક્યો છે. કેન્દ્ર સરકારે તેને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે ત્યારે સ્વચ્છતા રાખવાની અને વારંવાર હાથ ધોવાની કે સેનિટાઈઝર યૂઝ કરવાની સલાહ આપવામાં આવી છે.
કોરોનાના કહેરથી ભારતમાં 108 કેસ નોંધાયા
વારંવાર હાથ ધોવાની આદત કેળવવી જરૂરી
આજથી જ બદલી લો આ ખાસ આદતો
કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે વારંવાર હાથ ધોવાની આદત કેળવો અને સાથે જ સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરો. જો તમને નખ ચાવવાની આદત છે તો તમે કોરોનાને નિમંત્રણ આપી શકો છો. તો આજથી જ આ આદતમાં બદલાવ લાવો તે જરૂરી છે. નખમાં બેક્ટેરિયા વાયરસ, મેલ અને કચરો મોટી સંખ્યામાં જમા થાય છે. તે દાંતની મદદથી શરીરમાં જાય છે.
જો તમે તમારા ચહેરા, નાક કે મોઢા પર હાથ લગાવો છો તો તમારા શરીરમાં વાયરસ અસર કરી શકે છે.
મોઢાથી નખ ચાવવાની આદત તમને કોરોના વાયરસનો શિકાર બનાવી શકે છે. આમ કરવાથી તમે અનેક વાયરસ, ફ્લૂ અને બેક્ટિરિયાનો શિકાર બનો છો.
ગમે તેટલી સ્વચ્છતા રાખો પણ નખ ચાવવાની આદત છોડશો નહીં તો તમે કોરોનાનો શિકાર બની શકો છો. જો તમારી આદત ન છૂટતી હોય તો તમે આ 3 ટિપ્સની મદદ લઈ શકો છો.