દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા ખતમ થતી જોવા મળી રહી છે.
કોરોનાથી મુક્તિને લઈને કંઈ પણ કહેતા પહેલા માર્ચ એપ્રિલ 2022 સુધી રાહ જોવી જોઈએ
એક દિવસમાં આંકડા માંત્ર 12,514 નવા કેસ નોંધાયા
દેશમાં કુલ 3.36 કરોડ લોકો કોરોના સંક્રમણને હરાવી ચૂક્યા
એક દિવસમાં આંકડા માંત્ર 12,514 નવા કેસ નોંધાયા
ફેસ્ટિવલ સીઝનમાં બજાર, સ્કૂલ, કોલેજ સહિત તમામ સંસ્થાઓના ખુલ્યા બાદ પણ કોરોનાના નવા કેસોમાં ઘટાડો યથાવત રહેવાથી ત્રીજી લહેર ન આવવાની આશા વધી છે. સોમવારે આવેલા ગત એક દિવસમાં આંકડા માંત્ર 12,514 નવા કેસ નોંધાયા છે. તો 251 લોકોના મોત થયા છે. આ ઉપરાંત રિકવર થનારા લોકોની સંખ્યા 12, 718 છે. આ રીતે એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રિકવરી રેટમાં તેજીથી વૃદ્ધિ થઈ છે અને આ વધીને 98.20 ટકા થયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3.36 કરોડ લોકો કોરોના સંક્રમણને હરાવી ચૂક્યા છે.
હવે દેશમાં માત્ર 158,817 એક્ટિવ કેસ જ બચ્યા
એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે દેશમાં માત્ર 158,817 એક્ટિવ કેસ જ બચ્યા છે. જે 248 દિવસ એટલે કે 8 મહિનામાં સૌથી વધારે સમયમાં સૌથી ઓછા આંકડા છે. આ ઉપરાંત ડેલી પોઝિટિવિટી રેટ પણ સતત ઓછો થતા 1.42 ટકા રહી ગયો છે. ગત પોઝિટિવિટી રેટમાં પણ ઘટાડાનો દોર જારી છે. હવે આ આંકડો માત્ર 1.17 ટકા રહી ગયો છે. અત્યાર સુધીમાં દેશમા કુલ 1 અરબ 6 કરોડથી વધારે રસી લાગી ચૂકી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આના ચાલતા દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોરોનાથી મુક્તિને લઈને કંઈ પણ કહેતા પહેલા માર્ચ એપ્રિલ 2022 સુધી રાહ જોવી જોઈએ
હકિકતમાં એક્સપર્ટે સપ્ટેમ્બર- ઓક્ટોબર દરમિયાન કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ આ રીતે નવા કેસમાં ઘટાડો ચાલુ છે. તેનાથી ત્રીજી લહેર આવવાની આશંકા સમાપ્ત થતી જોવા મળી રહી છે. જો કે હજું પણ જાણકારોનું કહેવું છે કે હાલ કોરોનાથી મુક્તિને લઈને કંઈ પણ કહેતા પહેલા માર્ચ એપ્રિલ 2022 સુધી રાહ જોવી જોઈએ.