કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ 20 બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સેવાના નિર્દેશક એસ મોહન કુમાર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.
નોઇડા અને ગાઝિયાબાદમાં પણ બાળકોમાં કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા
કોવિડ19 ના ત્રીજા વેવનાં શરૂઆતના તબક્કામાં
વેકસીનેશન કરવું અને સાવચેતી રાખવી એ જ સલાહભર્યું
નોઇડા અને ગાઝિયાબાદમાં પણ બાળકોમાં કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા
નોઇડા અને ગાઝિયાબાદમાં પણ બાળકોમાં કોરોના સંક્રમણના કેસો સામે આવ્યા છે અને આ પછી દેશમાં કોરોનાની ત્રીજી લહેરનની આશંકા પણ વધી ગઈ છે. આ બધા વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ત્રીજી લહેરને લઈ પણ ચેતવણી આપી દીધી છે અને એમ પણ કહ્યું છે કે અમે પણ ત્રીજી લેહરના પ્રારભિક સ્ટેજ પર છીએ. પોંડિચેરીમાં કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ 20 બાળકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ સેવાના નિર્દેશક એસ મોહન કુમાર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ બધા જ બાળકોને હાલ ઇન્દિરા ગાંધી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આ બાળકોની ઉંમર કઈ છે તે હાલ ચકાસવામાં આવી રહ્યું છે.
કોવિડ19 ના ત્રીજા વેવનાં શરૂઆતના તબક્કામાં
WHO ના ચીફ ટેડરોસ અધનોમ ગેબ્રેયેસસે ગુરુવારે કહ્યું હતું કે ''દુર્ભાગ્યે આપણે કોવિડ19 ના ત્રીજા વેવનાં શરૂઆતના તબક્કામાં છીએ. કોરોના વાયરસ દિનપ્રતિદિન વધારે મજબૂત બની રહ્યો છે. નવા નવા વેરિયન્ટ આવી રહ્યા છે, તે પૈકી ડેલ્ટા વેરિઅન્ટ હાલમાં 111 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને આવનાર સમયમાં તે સૌથી પ્રભાવી વેરિયન્ટ તરીકે જગત માટે પડકારરૂપ બની શકે છે.
વેકસીનેશન કરવું અને સાવચેતી રાખવી એ જ સલાહભર્યું
WHO ના કહેવા અનુસાર ઘણા દેશોમાં કોવિડ 19 પ્રતિબંધો હટાવવા માટે દબાણ વધારવામાં આવી રહ્યું છે. પરંતુ આયોજનના અભાવના કારણે આ જોખમી સાબિત થઈ શકે છે. મેળાવડાઓ કે પ્રવાસનના નિયમો હટાવવાથી કોરોનાનો ફેલાવો વધારે ગતિએ થવાની સંભાવના છે. જેના કારણે હેલ્થકેર સિસ્ટમ પર દબાણ વધશે. 111 દેશો ડેલ્ટા વેરીયન્ટથી પ્રભાવિત છે જે આવનાર સમયમાં વૈશ્વિક સ્તરે વધે તેવી સંભાવનાઓ છે માટે શક્ય એટલું ઝડપથી વેકસીનેશન કરવું અને સાવચેતી રાખવી એ જ સલાહભર્યું છે.