દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે માર્કેટમાં હેન્ડ સેનિટાઈઝર અને માસ્કની માગ વધી રહી છે. અનેક જગ્યાઓએ વેપારીઓ મનમાંગી કિંમત વસૂલી રહ્યા છે જેના કારણે જનતાને મુશ્કેલી પડી રહી છે. આ માટે સરકારે ખાસ પગલું લીધું છે અને સાથે નક્કી કિંમત આપી છે. જો કોઈ પણ આ કિંમતથી વધારે રૂપિયા વસૂલે છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવા આદેશ પણ જાહેર કર્યા છે. સરકારે 200 મિલિ સેનિટાઈઝરની કિંમત 100 રૂપિયા નક્કી કરી છે અને 1 માસ્કની વધુમાં વધુ કિંમત 10 રૂપિયા રાખી છે. આ આદેશ 30 જૂન 2020 સુધી લાગુ રહેશે.
સરકારે નક્કી કર્યા માસ્ક અને સેનિટાઈઝરના ભાવ
200 મિલિ સેનિટાઈઝરની કિંમત 100 રૂપિયા નક્કી કરાઈ
1 માસ્કની વધુમાં વધુ કિંમત 10 રૂપિયા
हैंड सेनिटाइजर की 200 ML बोतल की खुदरा कीमत 100 रु. से अधिक नहीं होगी। अन्य आकार की बोतलों की कीमत भी इसी अनुपात में रहेंगी। ये कीमतें 30 जून 2020 तक पूरे देश में लागू रहेंगी। 3/3@drharshvardhan@narendramodi#IndiaFightsCorona
ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાને ટ્વિટ કરીને કહ્યું છે કે કોરોના વાયરસના ફેલાવા બાદ બજારોમાં વિવિધ ફેસ માસ્ક અને તેને બનાવવામાં વપરાતી સામગ્રી અને હેન્ડ સેનિટાઈઝરની કિંમતોમાં મોટો વધારો જોવા મળ્યો છે. સરકારે આ વાતને ગંભીરતાથી લીધી છે અને સાથે તેની કિંમતો પણ નક્કી કરી છે.
आवश्यक वस्तु अधिनियम के तहत 2 और 3 प्लाई मास्क में इस्तेमाल होने वाले फैब्रिक की कीमत वही रहेगी जो 12 फरवरी 2020 को थी, 2 प्लाई मास्क की खुदरा कीमत 8 रु./मास्क और 3 प्लाई की कीमत 10 रु./मास्क से अधिक नहीं होगी। 2/3 @drharshvardhan@narendramodi#IndiaFightsCorona
રામવિલાસ પાસવાને ટ્વિટ કરીને નક્કી કરેલા ભાવની કરી જાહેરાત
સરકારે 200 મિલિ સેનિટાઈઝરની કિંમત 100 રૂપિયા નક્કી કરી છે અને 1 માસ્કની વધુમાં વધુ કિંમત 10 રૂપિયા રાખી છે. આ આદેશ 30 જૂન 2020 સુધી લાગુ રહેશે.
કોરોનાના કેસની સંખ્યામાં થઈ રહ્યો છે સતત વધારો
ભારતમામં 1 દિવસમાં સૌથી વધુ 50 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોનાનો કુલ સંક્રમણનો આંક પણ 250એ પહોચ્યો છે. પીએમ મોદીએ પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છે. કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધવાથી રોકવા માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો તેને નિયંત્રિત કરવા સખત પગલાં લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજધાની મુંબઈ અને પુણેમાં પણ કાર્યસ્થળો 31 માર્ચ સુધી બંધ રહેશે.
આરોગ્યમંત્રીની અપીલ
આરોગ્યમંત્રીએ લોકોને ટોલ ફ્રી નંબર 1075નો ઉપયોગ કરવાની સલાહ આપી છે. કોરોનાને લઈને કોઈ પણ પ્રકારની માહિતિ માટે તમે આ નંબરનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તેઓએ દવા, કરિયાણું અને અન્ય સામાનને ભેગો ન કરવાની સલાહ આપી છે. પીએમ મોદીએ પણ રાષ્ટ્રજોગ સંદેશમાં કહ્યું છે કે ગેસ સિલિન્ડર, દવાઓ, શાક, દૂધ,પેટ્રોલ, ડીઝલને ખરીદવાની પરમિશન રહેશે. તેને લઈને કોઈએ ઉતાવળ કે ડર રાખવો નહીં.