દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજ લગભગ 50 હજારની આસપાસ નવા કેસ આવી રહ્યા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ પણ વધારવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 5 લાખથી પણ વધારે કોરોના ટેસ્ટ કરાયા છે.
દેશમાં કોરોના સંક્રમણ વધ્યું
દેશમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં કરાયો વધારો
એક દિવસમાં દેશમાં કરાયા 5 લાખથી વધુ ટેસ્ટ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આધારે રવિવારે દેશમાં 5 લાખ 15 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધી દેશમાં 1 કરોડ 68 હજારથી વધારે ટેસ્ટ થયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રોજના 4 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દેશમાં સતત વધતા કોરોનાના સંક્રમણને લઈને ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરાયો છે.
દેશમાં અત્યારે 1300થી વધારે ટેસ્ટિંગ લેબ છે. જેમાં 900થી વધારે સરકારી અને અન્ય 400 પ્રાઈવેટ લેબ છે. તેમાં અનેક ટેસ્ટ કરવામાં આવે છે. આ સાથે અહીં એંટીજન ટેસ્ટિંગ અને RT-PCR ટેસ્ટ પણ કરાય છે.
ગઈકાલે યૂપીમાં કરાયા સૌથી વધુ 71 હજાર ટેસ્ટ
ગઈ કાલે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ એટલે કે લગભગ 71 હજાર ટેસ્ટ કરાયા હતા. યૂપી સીમ યોગી આદિત્યનાથના આદેશ અનુસાર યૂપીમાં રોજ 1 લાખ ટેસ્ટ કરાશે. આ કારણ છે કે યૂપીમાં RT-PCRની સાથે એંટીજન ટેસ્ટિંગ પણ થશે. કુલ ટેસ્ટિંગની સરખામણીએ દેશમાં તમિલનાડુ સૌથી આગળ છે. અહીં લગભગ 22 લાખ ટેસ્ટ થઈ ચૂક્યા છે. જ્યારે યૂપી અને મહારાષ્ટ્રમાં પણ 20 લાખ ટેસ્ટ થયા છે.
ICMRએ અત્યાર સુધી 5 લાખ રોજના ટેસ્ટનો રેકોર્જ બનાવ્યો છે અને આવનારું લક્ષ્ય રોજના 10 લાખ ટેસ્ટનું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસે પાંચ લાખ ટેસ્ટ થશે તો અઠવાડિયામાં 30 લાખ ટેસ્ટ થઈ શકશે. અત્યારે દેશમાં પોઝિટિવિટી રેટ 10 ટકાની આસપાસ છે. સોમવારે પીએમ મોદી 3 લેબની શરૂઆત કરશે જેની ક્ષમતા રોજના 10 હજાર ટેસ્ટ કરવાની છે.