દેશમાં કોરોના વાયરસે ફરી રફ્તાર પકડી છે. મહારાષ્ટ્રના 34 જિલ્લામાં નવા દર્દી મળ્યા છે.
દેશના અડધા એટલે કે 7 હજાર દર્દી ફક્ત મહારાષ્ટ્રમાં મળ્યા છે
મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં અનેક પ્રતિબંધ લગાવાયા
...તો રાજ્યમાં ફરી લોકડાઉન લગાવી શકાય છે
દેશના અડધા એટલે કે 7 હજાર દર્દી ફક્ત મહારાષ્ટ્રમાં મળ્યા છે
મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટકના 16, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના 4-4, જ્યારે કેરળના 2 જિલ્લા મામેલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં ગત 24 કલાકમાં કુલ 14 હજાર 199 નવા દર્દીઓ મળ્યા છે. જેમાંથી અડધા એટલે કે 7 હજાર દર્દી ફક્ત મહારાષ્ટ્રમાં મળ્યા છે. 24 કલાકમાં 9 હજાર 695 દર્દીઓ રિકવર થયા છે અને 83 લોકોના જીવ ગયા છે. મંત્રાલયના જણાવ્યાનુંસાર દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કોરોનાથી 1 કરોડ 10 લાખ 5 હજાર 850 સંક્રમિત થઈ ચુક્યા છે. કોરોનાથી મોતનીકુલ સંખ્યા 1, 56, 385 છે. જ્યારે 1 કરોડ 6 લાખ 99 હજાર 410 લોકો સાજા થયા છે. અત્યારે 1 લાખ 50 હજાર 55 એક્ટિવ દર્દી છે.
તો રાજ્યમાં ફરી લોકડાઉન લગાવી શકાય છે
મહારાષ્ટ્રમાં કોરોનાના ઝડપથી વધતા કેસના મામલામાં ઉદ્ધવ ઠાકરે સરકારની ચિંતા વધી ગઈ છે. મુખ્યમંત્રી ઠાકરેએ સોમવારે રાજ્યમાં ભીડ ભાડ વાળા તમામ રાજનીતિક અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યુ છે. તેમના જણાવ્યાનુંસાર જો સ્થિતિ કાબુમાં ન આવી તો રાજ્યમાં ફરી લોકડાઉન લગાવી શકાય છે.
મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં અનેક પ્રતિબંધ લગાવાયા
મહારાષ્ટ્રમાં અમરાવતી મંડળના 5 અન્ય જિલ્લા અમરાવતી, અકોલા, વાશિમ, બુલ્ઢાડા અને યવતમાલમાં પણ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. અહીં જરૂરી સામાનની દુકાનો છોડી બાકી તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ત્યારે સ્કુલ કોલેજ કોચિંગ સંસ્થાન હાલમાં બંધ રહશે. લોકોએ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી સામાન ખરીદદારીની છુટ આપી છે.
એક્ટિવ કેસમાં ભારત ફરી 15 દેશોના લિસ્ટમાં
કોરોનાના વધતા કેસના કારણે ભારત એકવાર ફરી દુનિયાના એ 15 દેશોની યાદીમાં સામેલ થયો છે. જ્યાં કોરોનાના સૌથી વધારે એક્ટિવ કેસ છે. ભારત આ લિસ્ટમાં 15માં નંબર પર આવ્યો છે. 30 જાન્યુઆરીએ પોર્ટુગલ, ઈન્ડોનેશિયા અને આયરલેન્ડને પાછળ છોડતા 17માં નંબર પર પહોંચી ગયા છે.
કોરોના ગ્રસ્ત પ્રમુખ રાજ્યોની સ્થિત
ગુજરાતમાં રવિવારે 283 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. 264 લોકો સાજા થયા અને એકનું મોત થયું. જ્યારે અત્યાર સુધીમાં 2 લાખ 67 હજાર 104 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 2 લાખ 61 હજાર 9 લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 4405 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.
કેરળમાં 4,070 નવા દર્દીઓની ખરાઈ થઈ
કેરળમાં રવિવારે 4070 નવા દર્દીઓ આવ્યા છે. કોરોનાને લીધે 15 લોકોના જીવ ગયા. રાજ્યમાં કોરોનાના અત્યાર સુધીમાં 10, 35, 006 મામલા આવી ચૂક્યા છે. ગત 24 કલાકમાં 57, 241 નવા નમૂનાની તપાસ થતાં સંક્રમિતોનો દર 7.11 ટકા છે. આની વચ્ચે રવિવારે 4335 દર્દીઓ સાજા થયા છે.
મધ્ય પ્રદેશમાં રવિવારે કોરોનાના 299 નવા કેસ આવ્યા છે
રાજ્યમાં અત્યાર સુધી 2,59, 427 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. મરનારની સંખ્યા 3854 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે રાજ્યના 52 જિલ્લામાંથી 18 જિલ્લામાં રવિવારે એક પણ નવા કેસ આવ્યા નથી. રાજ્યમાં રોજના 200થી વધારે નવા કેસ સામે આવે છે.
દુનિયામાં કેટલા છે કોરોનાના કેસ
દુનિયામાં કોરોનાના દર્દીઓનો આંકડો 11.19 કરોડથી વધારે થઈ ગયો છે. 8 કરોડ 72 લાખથી વધારે લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 24 લાખ 77 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.